અસીમાનંદ અને બીજા હિન્દુ આરોપીઓનો મામલો સપાટી પર આવ્યા બાદ તત્કાલીન ગૃહમંત્રી સુશિલકુમાર શિંદેએ હિન્દુ આતંકવાદનો ઉપયોગ કર્યો હતો. આ કેસમાં ૧૪૯ સાક્ષીઓ રહ્યા હતા અને ૪૫૧ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. આ કેસમાં એનઆઇએ દ્વારા ત્રણ પુરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
2/7
ચાર્જશીટમાં કહેવામાં આવ્યું હતું કે સ્વયં સેવક સંઘ સાથે જોડાયેલા કેટલાક હિન્દુ કટ્ટરપંથી લોકો દ્વારા આ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. ૨૦૦૨માં અમરનાથ યાત્રા અને જમ્મૂના રઘુનાથ મંદિરમાં આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે આ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો.
3/7
એનઆઈએ દ્વારા આ કેસમાં ૧૩ લોકોની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જેમાંથી સુનિલ જોશીનું મોત થઈ ચુક્યું છે. સ્વામી અસીમાનંદ, દેવેન્દ્ર ગુપ્તા, ચંદ્રશેખર લેવે, લોકેશ શર્મા અને મુકેશ વાસાની, હર્ષદ, ભારત મોહનલાલ, સંદિપ ડાંગે, રામચંદ્ર, ભાવેશભાઈ પટેલ, સુરેશ નાયર, મેહુલને આરોપી બનાવવામાં આવ્યા હતા.
4/7
રાજસ્થાન એટીએસ દ્વારા સમગ્ર માલમાની તપાસ કરવામાં આવી હતી. ૨૦મી ઓકટોબર ૨૦૧૦ના દિવસે અજમેરના સીજીએમ કોર્ટમાં ત્રણ અપરાધીઓની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. પહેલી એપ્રિલ ૨૦૧૧ના દિવસે આ મામલાની તપાસ એનઆઈએને સોંપી દેવામાં આવી હતી.
5/7
૨૦૧૧માં અસીમાનંદને આજ તપાસ સંસ્થાએ બ્લાસ્ટના માસ્ટર માઈન્ડ તરીકે ગણાવીને ઝાટકણી કાઢી હતી. સુનિલ જોશી, ભાવેશ પટેલ અને દેવેન્દ્ર ગુપ્તાને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. સુનિ જોશીનું મોત થઈ ચુક્યું છે. અજમેરમાં સુફીસંત ખ્વાજા મુઈનુદ્દીન ચિશ્તીની દરગાહમાં ૧૧મી ઓકટોબર ૨૦૦૭ના દિવસે સાંજે ૬.૧૪ વાગે રોજા ઈફતાર વેળા બ્લાસ્ટ થયો હતો. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા અને અન્ય ૩૦ લોકો ઘાયલ થયા હતા.
6/7
અત્રે નોંધનીય છે કે કોર્ટે બ્લાસ્ટ કેસમાં આરોપી અસીમાનંદ સહિત પાંચ અન્યને એનઆઈએની જયપુર કોર્ટે આઠમી માર્ચના દિવસે નિર્દોષ છોડી મુક્યા હતા. જ્યારે ત્રણને આરોપી ઠેરવવામાં આવ્યા હતા. એનઆઈએ દ્વારા કહેવામાં આવ્યું હતુ કે નિર્દોષ છુટેલાની સામે પુરાવા મળી શક્યા નથી.
7/7
જયપુરઃ સમગ્ર દેશને હચમચાવી મુકનાર અજમેર દરગાહ બોમ્બ બ્લાસ્ટ કેસમાં જયપુરની વિશેષ કોર્ટે આરોપી દેવેન્દ્ર ગુપ્તા અને ભાવેશ પટેલને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. 11 ઓક્ટોબર 2007ના રોજ થયેલ બ્લાસ્ટમાં કોર્ટે દેવેન્દ્ર ગુપ્તા, ભાવેશ પટેલ અને સુનીલ જોષીને આરોપી ઠેરવવામાં આવ્યા હતા. જોકે સુનીલ જોશીનું મોત થઈ ચુક્યું છે.