શોધખોળ કરો
આ છે અમરનાથ હુમલાનો માસ્ટર માઈન્ડ, 'ઇસ્માઈલ'ને પકડવા સઘન સર્ચ ઓપરેશન
1/4

સુરક્ષા દળોને અમરનાથ યાત્રિકો પર થયેલાં હુમલામાં સ્થાનિક આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનનો સાથે મળ્યો હોવાના સબૂત મળ્યાં છે. પ્રથમ વખત એવું જોવ મળી રહ્યું છે કે જયારે કોઈ આતંકી હુમલા માટે બે આતંકી સંગઠનોએ એકબીજા સાથે હાથ મિલાવ્યાં હોય. પ્રથમ વખત લશ્કર-એ-તૈયબાને હુમલા માટે સ્થાનિકોએ મદદ કરી હોય તેના પુરાવા મળ્યા છે.
2/4

કાશ્મીર આઈજી મુનીર ખાને જણાવ્યું કે, “ અમરનાથ યાત્રાળુઓ પર થયેલાં હુમલાનું ષડયંત્ર આતંકી સંગઠન લશ્કર-એ-તૈયાબાએ રચ્યું હતું. જેનો માસ્ટમ માઈન્ડ પાકિસ્તાની આતંકી ઈસ્માઇલ છે.” ઈસ્માઇલ લગભગ 3 વર્ષ પહેલાં તે કાશ્મીર આવ્યો હતો, જે બાદ તેને સાઉથ કાશ્મીરમાં લશ્કરનો કમાન્ડર બનાવવામાં આવ્યો. ઈસ્માઇલ પંપોર વિસ્તારમાં રહે છે. જમ્મૂ કાશ્મીર પોલીસ અનુસાર ઇસ્માઇલ ઉપરાતં બે અન્ય વ્યક્તિની પણ ઓળખ કરવામાં આવી છે.
Published at : 12 Jul 2017 08:21 AM (IST)
Tags :
Amarnath YatraView More























