શોધખોળ કરો
અમરનાથ યાત્રા 28 જૂનથી થશે શરૂ, રજીસ્ટ્રેશન પહેલી માર્ચેથી
1/3

જમ્મુ: આ વર્ષની અમરનાથની યાત્રા 28 જૂને શરૂ થશે. 60 દિવસ ચાલનારી આ યાત્રાનું રજીસ્ટ્રેશન 1 માર્ચથી શરૂ થશે. રાજ્યપાલ એન એન વોહરાએ મંગળવારે શ્રાઈન બોર્ડેના સદસ્યની એક બેઠકમાં યાત્રાની તારીખ અને અન્ય વાતોની ચર્ચા કરી હતી. બેઠકમાં ચર્ચા દરમિયાન જણાવ્યું કે અમરનાથ યાત્રાની શરૂઆત 28 જૂનથી થશે અને 26 ઓગસ્ટે શ્રવણ પૂર્ણિમાની દિવસે પૂર્ણ થશે. 13 વર્ષથી ઓછી અને 75 વર્ષથી વધારે ઉંમરના શ્રદ્ધાળુંઓને યાત્રા કરવાની અનુમતી નથી. સાથે છ મહિનાથી વધુ ગર્ભવતી મહિલા પણ યાત્રા નહીં કરી શકે.
2/3

યાત્રામાં ઉપલબ્ધ પ્રાથમિક સુવિધાઓની ક્ષમતાને ધ્યાનમાં રાખતા બન્ને રસ્તાઓ પર દરરોજ 75 હજાર યાત્રીઓને યાત્રાની પરવાનગી આપવા બોર્ડે નિર્ણય કર્યો છે. અમરનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન 1 માર્ચથી શરૂ થશે.
Published at : 09 Jan 2018 10:15 PM (IST)
View More























