શોધખોળ કરો
જેલમાંથી છોડવામાં આવ્યો ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર 'રાવણ', ભાજપ સામે કર્યું જંગનું એલાન
1/6

આ પહેલા રાજ્ય સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી એક પ્રેસ રીલિઝમાં કહેવામાં આવ્યું હતું કે રાવણની માતાના આવેદન પર સહાનુભૂતિપૂર્વક વિચાર કરતા તેની સમય પહેલા છોડી મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ચંદ્રશેખર રાવણને એક નવેમ્બર 2018 સુધી જેલમાં રહેવાનું હતું, પરંતુ તેને ગુરૂવારે રાત્રે છોડી મુકવામાં આવ્યો હતો. રાવણની સાથે અન્ય બે આરોપીઓ સોનૂ પુત્ર નાથીરામ અને શિવકુમાર પુત્ર રામદાસને પણ સરકારને છોડી મુકવાનો નિર્ણય કર્યો છે.
2/6

સહારનપુરના ડીએમના રિપોર્ટ પર રાવણ સામે રાસુકા લગાવવામાં આવી હતી, જેનો ભીમ આર્મીએ વિરોધ કર્યો હતો. રાવણને છોડી મુકવા માટે લખનઉથી લઈને દિલ્હી સુધી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. યોગી સરકારના આ નિર્ણયને લોકસભા ચૂંટણી પહેલા દલિતોની નારાજગી દૂર કરવા માટેના દાવ તરીકે જોવામાં આવે છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભીમ આર્મીનો ખૂબ સારો પ્રભાવ છે.
Published at : 14 Sep 2018 07:28 PM (IST)
Tags :
SaharanpurView More




















