શોધખોળ કરો
લિંગાયતને અલગ ધર્મનો દરજ્જો નહીં આપે કેન્દ્ર સરકાર, જાણો ભાજપના ક્યા નેતાએ કરી આ વાત
1/4

ઉલ્લેખનીય છે કે કર્ણાટક કેબિનેટ 19 માર્ચના રોજ લિંગાયત અને વીરશૈવ લિંગાયતોને ધાર્મિક લઘુમતીનો દરજ્જો આપવા માટે કેન્દ્ર સરકારને ભલામણ કરી હતી. કર્ણાટક સરકારે નાગમોહન સમિતિની ભલામણનો સ્ટેટ માઇનોરિટી કમીશન એક્ટ અંતર્ગત મંજૂરી આપી છે. કોંગ્રેસ લિંગાયત ધર્મને અલગ ધર્મનો દરજજો આપવાનું સમર્થન કર્યું છે, જ્યારે ભાજપ લિંગાયતોને હિન્દુ ધર્મનો જ હિસ્સો માને છે.
2/4

અમિત શાહે વીરશૈવ લિંગાયતના મહંતોને કહ્યું કે, લિંગાયત સમુદાયને ધાર્મિક લઘુમતીને દરજ્જો આપવાની રાજ્ય સરકારની ભલામણનો કેન્દ્ર સરકાર સ્વીકાર નહીં કરે. અમતિ શાહ આ પહેલા પણ લિંગાયત સમુદાયને ધાર્મિક લઘુમતીનો દરજજો આપવાનો વિરોધ કરતાં રહ્યા છે. શાહે સિદ્ધારમૈયા સરકાર પર આરોપ લગાવ્યો હતો કે, તેઓ લિંગાયતોને પ્રેમ નથી કરતાં પરતુ તેમનો હેતુ યેદિયુરપ્પાને મુખ્યમંત્રી બનવાથી રોકવાનો છે.
Published at : 03 Apr 2018 10:10 PM (IST)
View More
ટ્રેન્ડિંગ સમાચાર






















