કાયદા મંત્રી અને બીજેપી નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે કોંગ્રેસે જનાદેશને સમજવો જોઇએ અને તેનું સન્માન કરવું જોઇે. રવિશંકર પ્રસાદે પીએમ મોદી પર હોર્સ ટ્રેડિંગનો પ્રોત્સાહન આપવાનો આરોપ લગાનારા પૂર્વ સીએમ સિદ્ધારમૈયાને પણ નિશાન લીધા હતા.
3/7
બીજેપી તર્ક આપી રહી છે કે લોકોએ કોંગ્રેસ વિરુદ્ધ વૉટ કર્યા છે અને જેડીએસ ખુબ અંતરથી ત્રીજા નંબર પર છે. આ વિધાનસભા ચૂંટણીમાં 60 પ્લસ બેઠકોનો ફાયદો થવા છતાં બીજેપીએ સ્પષ્ટ કરી દીધુ છે કે તે સરકાર બનાવવામાં પાછળ નહીં હટે. બીજેપીએ એ પણ તર્ક આપ્યો છે કે 1996 માં કઇ રીતે બીજેપી સરકારને પાડી દીધી હતી, શંકરસિંહ વાઘેલા સીએમ બન્યા પણ સરકાર ચાલી શકી નહીં.
4/7
બીજેપીની 222 બેઠકો (2 બેઠકો પર ચૂંટણી બાકી છે)માંથી 104 બેઠકો છે. તેને પોતાની બહુમતી સાબિત કરવા માટે હજુ 8 ધારાસભ્યોની જરૂર છે. આવામાં પાર્ટી વિપક્ષા કેટલાક ધારાસભ્યનો વિશ્વાસ મત વખતે યેદિયુરપ્પાને મત આપવાનું કહેવામાં આવી શકે છે.
5/7
કહેવાઇ રહ્યુ છે કે કોંગ્રેસ + અને જેડીએસની લગભગ ડઝન લિંગાયત ધારાસભ્ય પોતાના સમુદાયમાથી આવનાર સૌથી મોટા નેતા યેદિયુરપ્પાના નામની પાછળ જઇ શકે છે. કોંગ્રેસ તરફથી અલ્પસંખ્યક સમુદાય કાર્ડ ચાલવા છતાં લિંગાયત સમુદાયે ચૂંટણીમાં મોટાપાયે બીજપીને સાથ આપ્યો છે. કર્ણાટકમાં વોકલિંગ અને લિંગાયત સમુદાય બન્ને વચ્ચે 2007થી ખટરાગ ચાલ્યો આવે છે.
6/7
બીજેપીને તે વિપક્ષી ધારાસભ્યો પાસે આશા છે કે જે કોંગ્રેસ-જેડીએસને પૉસ્ટ પૉલ ગઠબંધનથી નારાજ બતાવવામાં આવી રહ્યાં છે. કેમકે આના પ્રમુખ વોકલિંગ સમુદાયના કુમારસ્વામીને બનાવવામાં આવ્યા છે.
7/7
નવી દિલ્હીઃ કર્ણાટકના રાજ્યપાલન વજુભાઇ વાળા તરફથી સરકાર બનાવવાના નિમંત્રણ મળ્યા બાદ ગુરુવારે બીજેપી ધારાસભ્ય દળના નેતા યેદિયુરપ્પાએ સીએમ પદના શપથ લઇ લીધા. બીજેપીની પાસે બહુમતી સાબિત કરવા માટે ધારાસભ્યોનું પુરતુ સંખ્યા બળ નથી, પણ આ આંકડો મેળવવાની ખાસ યોજના છે.