શોધખોળ કરો
નોટબંધીના એક મહિના બાદ જનધન ખાતામાંથી 5,000 કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા
1/6

દરમિયાન જનધન ખાતા સાથે આધારને લિંક કરી હોય તેવા ખાતાની સંખ્યા ૧૫.૩૬ કરોડ થઈ ગઈ છે, જે નોટબંધીની જાહેરાત થઈ તે વખતે ૧૩.૬૮ કરોડ હતી. પ્રધાનમંત્રી જનધન યોજના ઓગસ્ટ ૨૦૧૪માં શરૂ કરવામાં આવી હતી. ગરીબ લોકોના પણ બેન્ક ખાતા ખોલાવવામાં આવે તો તેનાથી તેમને મળતા સરકારી લાભ કે વળતર સહિતની રકમ સીધી બેન્કમાં જમા થાય અને વચેટિયા તેમનું શોષણ ન કરી શકે તેવો તેનો હેતુ છે.
2/6

૯ નવેમ્બરના રોજ ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની જૂની નોટ ગેરકાયદેસર જાહેર કરી દેવાઈ હતી અને તે વખતે જનધન ખાતામાં ૪૫,૬૩૬.૬૧ કરોડ રૂપિયા જમા હતા. નોટબંધીના એક મહિનાના સમયગાળામાં જનધન ખાતામાં ૨૮,૯૭૩ કરોડ રૂપિયાનો વધારો થયો હતો.
Published at : 30 Jan 2017 12:35 PM (IST)
View More























