શોધખોળ કરો

‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ

India vs England 2nd T20I: માન્ચેસ્ટર T20 માં ઇંગ્લેન્ડ સામેની હાર બાદ કેપ્ટન શ્રેયસ ઐયરે પણ પોતાની ભૂલ સ્વીકારી, જાણો આખરે ક્યાં થઈ મોટી ચૂક.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારત ઇંગ્લેન્ડ સામે બીજી T20 મેચ 4 વિકેટે હારી.
  • આકાશ ચોપરાએ 16મી, 17મી ઓવરોને હારનું મુખ્ય કારણ જણાવ્યું.
  • રવિ બિશ્નોઈની 17મી ઓવર (29 રન) નિર્ણાયક સાબિત થઈ.
  • કેપ્ટન શ્રેયસ ઐયરે પણ 17મી ઓવરને ટર્નિંગ પોઇન્ટ સ્વીકાર્યો.

India vs England 2nd T20I: શનિવારે (4 જુલાઈ) માન્ચેસ્ટરમાં રમાયેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી T20 મેચમાં ભારતીય ટીમને 4 વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે. જીતની એકદમ નજીક પહોંચ્યા બાદ અચાનક બાજી પલટાઈ ગઈ અને મેચ ઇંગ્લેન્ડના હાથમાં સરી ગઈ. આ હાર બાદ ચાહકો નિરાશ છે, ત્યારે ભારતના પૂર્વ ક્રિકેટર અને જાણીતા કોમેન્ટેટર આકાશ ચોપરાએ આ હાર પાછળનું સાચું કારણ જણાવ્યું છે. રસપ્રદ વાત એ છે કે, કેપ્ટન શ્રેયસ ઐયરે પણ આ જ વાત સાથે સહમતિ દર્શાવીને પોતાની ભૂલ ખુલ્લા મને સ્વીકારી લીધી છે.

16મી અને 17મી ઓવરમાં જ મેચ ખતમ થઈ ગઈ: આકાશ ચોપરા

આકાશ ચોપરાએ પોતાની યુટ્યુબ ચેનલ પર મેચનું વિશ્લેષણ કરતા સ્પષ્ટ કહ્યું કે, બીજી T20 મેચમાં ભારતની હાર અર્શદીપ સિંહ અને રવિ બિશ્નોઈની ઓવરોમાં જ નક્કી થઈ ગઈ હતી. આ બંને બોલરોએ પોતાની ઓવરમાં અનુક્રમે 27 અને 29 રન લૂંટાવ્યા હતા. આકાશે જણાવ્યું કે, "મેચ ત્યાં જ ખતમ થઈ ગઈ હતી, કારણ કે આપણી પાસે બચાવ કરવા માટે બોર્ડ પર 225 રન નહોતા કે આપણે આટલા રન આપી શકીએ."

ચોપરાએ બંને ટીમોની 16મી અને 17મી ઓવરની સરખામણી કરીને હાર-જીતનો આખો તફાવત સમજાવ્યો. ઇંગ્લેન્ડના બોલરોએ આ બે ઓવરમાં માત્ર 9 રન જ આપ્યા હતા, જ્યારે ભારતીય બોલરોએ આ જ બે ઓવરમાં 39 રન આપી દીધા! ખાસ કરીને 17મી ઓવર નાખવા આવેલા રવિ બિશ્નોઈએ 29 રન આપ્યા, જેમાં તેણે બે નો-બોલ (બેક-ફૂટ) પણ ફેંક્યા હતા. આ જ ઓવર ભારત માટે સૌથી મોંઘી અને નિર્ણાયક સાબિત થઈ.

આ પણ વાંચોઃ IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય

કેપ્ટન શ્રેયસ ઐયરે પણ સ્વીકારી ભૂલ

આ હાર બાદ કેપ્ટન શ્રેયસ ઐયરે પણ સ્વીકાર્યું કે 17મી ઓવર જ મેચનો ટર્નિંગ પોઇન્ટ હતી. ઐયરે કોઈ ખેલાડીનું સીધું નામ લીધા વિના પોતાની વાત મૂકતા કહ્યું, "મને ખબર છે કે અમારાથી ક્યાં ભૂલ થઈ છે, પણ હું કોઈ ખેલાડીનું નામ લેવા માંગતો નથી. 15મી ઓવર પછી જ મેચ અમારા હાથમાંથી સરકી ગઈ હતી. નો-બોલ પડ્યા પછી મને લાગ્યું કે રવિ કમબેક કરશે, પરંતુ 17મી ઓવરમાં આખી મેચ પલટાઈ ગઈ. આપણે આમાંથી પાઠ ભણવાની જરૂર છે."

હવે શ્રેયસ ઐયરની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા આ ભૂલો સુધારીને આગામી મેચમાં વાપસી કરવાનો પ્રયાસ કરશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે T20 શ્રેણીની ત્રીજી મેચ 7 જુલાઈએ નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાવાની છે.

આ પણ વાંચોઃ વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂ પર BCCI નો મોટો ખુલાસો, રાજીવ શુક્લાએ આપ્યું મોટું નિવેદન

Frequently Asked Questions

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી T20 મેચનું પરિણામ શું આવ્યું?

માન્ચેસ્ટરમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમને ઇંગ્લેન્ડ સામે 4 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. જીતની નજીક પહોંચ્યા બાદ અચાનક બાજી પલટાઈ ગઈ.

આકાશ ચોપરાના મતે ભારતની હારનું મુખ્ય કારણ શું હતું?

આકાશ ચોપરાના મતે, અર્શદીપ સિંહ અને રવિ બિશ્નોઈની 16મી અને 17મી ઓવરમાં અનુક્રમે 27 અને 29 રન લૂંટાવ્યા તે હારનું કારણ હતું. આ બે ઓવરમાં ભારતે 39 રન આપ્યા, જે મેચનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો.

કેપ્ટન શ્રેયસ ઐયરે હાર વિશે શું કહ્યું?

શ્રેયસ ઐયરે સ્વીકાર્યું કે 17મી ઓવર મેચનો ટર્નિંગ પોઈન્ટ હતી અને 15મી ઓવર પછી જ મેચ તેમના હાથમાંથી સરકી ગઈ હતી. તેણે ભૂલોમાંથી પાઠ ભણવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

ભારત-ઇંગ્લેન્ડ T20 મેચમાં કઈ ઓવરને ટર્નિંગ પોઈન્ટ માનવામાં આવી હતી?

પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરા અને કેપ્ટન શ્રેયસ ઐયર બંનેએ 17મી ઓવરને મેચનો ટર્નિંગ પોઈન્ટ ગણાવી હતી, જેમાં ભારતીય બોલરે 29 રન આપ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ 
વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ 
વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું
વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
ઇંગ્લેન્ડ સામેની શરમજનક હારથી આ 4 ખેલાડીઓનું ODI કરિયર ખતરામાં, ફરી તક મળવી મુશ્કેલ!
ઇંગ્લેન્ડ સામેની શરમજનક હારથી આ 4 ખેલાડીઓનું ODI કરિયર ખતરામાં, ફરી તક મળવી મુશ્કેલ!
Advertisement

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં 24 કલાકમાં 255 તાલુકામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain: ગુજરાતમાં 24 કલાકમાં 255 તાલુકામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain: રાજ્યના અનેક વિસ્તારોમાં આજે પણ જળબંબાકારની સ્થિતિ, અનેક ગામો સંપર્ક વિહોણા
Gujarat Rain: રાજ્યના અનેક વિસ્તારોમાં આજે પણ જળબંબાકારની સ્થિતિ, અનેક ગામો સંપર્ક વિહોણા
સોનમ વાંગચુકે 26 દિવસ પછી તોડ્યા ઉપવાસ, જાણો વડાપ્રધાન મોદીને શું કરી અપીલ?
સોનમ વાંગચુકે 26 દિવસ પછી તોડ્યા ઉપવાસ, જાણો વડાપ્રધાન મોદીને શું કરી અપીલ?
Gujarat Rain: અમદાવાદ સહિત 21 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન નાઉ કાસ્ટ
Gujarat Rain: અમદાવાદ સહિત 21 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન નાઉ કાસ્ટ
અંબાલાલ પટેલની મોટી આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો અપડેટ
અંબાલાલ પટેલની મોટી આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો અપડેટ
Valsad Rain: ભારે વરસાદમાં જીવ બચાવવા વીજ પોલ પર ચઢી ગયેલા યુવકનું હેલિકોપ્ટરથી દિલધડક  રેસ્ક્યૂ
Valsad Rain: ભારે વરસાદમાં જીવ બચાવવા વીજ પોલ પર ચઢી ગયેલા યુવકનું હેલિકોપ્ટરથી દિલધડક  રેસ્ક્યૂ
Rain Forecast: ગુજરાતના આ ઝોનમાં 27 જુલાઇ સુધી અતિ ભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગની આગાહી
Rain Forecast: ગુજરાતના આ ઝોનમાં 27 જુલાઇ સુધી અતિ ભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગની આગાહી
વિદ્યાર્થી આંદોલનને લઈ અભિનેતા સલમાન ખાનની 24 કલાકમાં બીજી પોસ્ટ, જાણો શું કરી અપીલ 
વિદ્યાર્થી આંદોલનને લઈ અભિનેતા સલમાન ખાનની 24 કલાકમાં બીજી પોસ્ટ, જાણો શું કરી અપીલ 
Embed widget