રામવિલાસ પાસવાનના પુત્ર અને સાસંદ ચિરાગ પાસવાને કહ્યું કે, જસ્ટીસ ગોયલને એનજીટી અધ્યક્ષ પદથી હટાવવા માટે સરકારને અપીલ કરીશું. તેને વધુમાં કહ્યું કે, એસસી/એસટીના મુદ્દે કેટલાય દલિત તથા આદિવાસી સંગઠનોએ નવમી ઓગસ્ટે મોટુ આંદોલન કરવાની ધમકી આપી છે. તેમને કહ્યું કે, ''એસસી/એસટી એક્ટના મુદ્દા પર વટહુકમ લાવવો જોઇએ જેથી નવમી ઓગસ્ટનું આંદોલન રોકાઇ શકે.''
3/6
એનડીએના સાંસદોનું કહેવુ છે કે, જસ્ટીસ ગોયલની નિયુક્તિથી દલિતોની વચ્ચે સારો મસેજે નથી ગયો આનાથી ચૂંટણીમાં નુકશાન થઇ શકે છે.
4/6
બેઠકમાં એસસી/એસટી એક્ટ પર નિર્ણય લેવા માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટીસ આદર્શ કુમાર ગોયલે એનજીટીના અધ્યક્ષ બનાવવા પર આપત્તિ દર્શાવી. દલિત નેતાઓએ ગોયલની નિયુક્તિ પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે તેને એનજીટી અધ્યક્ષ પદ પરથી હટાવવામાં આવે. જસ્ટીસ ગોયલ છ જુલાઇએ સુપ્રીમ કોર્ટમાંથી રિટાયર થયા હતા અને ત્યાબાદ સરકારે તેમને એનજીટી અધ્યક્ષ નિયુક્ત કર્યા હતા.
5/6
લોક જનશક્તિ પાર્ટી (એલજેપી)ના અધ્યક્ષ અને મોદી સરકારના મંત્રી રામવિલાસ પાસવાનના ઘરે મળેલી એનડીએના દલિત સાંસદોની બેઠકમાં આ મુદ્દો ઉઠ્યો. જેમાં એસસી-એસટી નિરોધક કાયદો અને સરકારી નોકરીઓમાં પ્રમૉશનમાં અનામત જેવા મુદ્દાઓ પર ચર્ચા થઇ
6/6
નવી દિલ્હીઃ એસસી-એસટી એક્ટમાં મોટા ફેરફાર સંબંધિત સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ વિપક્ષી દળોના નિશાન આવેલી મોદી સરકાર હવે પોતાના જ સાથીઓના સવાલોના ઘેરામાં ફસાઇ ગઇ છે. એનડીએના દલિત અને આદિવાસી સાંસદોનું કહેવું છે કે કેટલાક મુદ્દાઓને લઇને ચિંતાઓ અને આશંકાઓ છે અને તેને તાત્કાલિક દુર કરવી જરૂરી છે.