સરકારનો પક્ષ મુકતા એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે કહ્યું કે, ‘આધાર કાર્ડની અનિવાર્યતા પર હવે રોક ન લગાવી શકાય કારણ કે હવે આ મુદ્દે સરકાર ઘણી આગળ નીકળી ચૂકી છે, તેમજ આ વાતને ઘણા વર્ષો વીતી ચૂક્યા છે.’ તેમણે કહ્યું કે, ‘કેંદ્ર સરકાર આ મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર છે. કેસની સુનાવણી દરમિયાન આધાર કાર્ડની અનિવાર્યતાને પડકારનાર અરજદારોએ સુપ્રીમ કોર્ટ સમક્ષ આ કેસને જલદી નિપટાવવાની માગ કરી હતી.’
2/3
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર તરફથી સામાન્ય લોકોને રાહત આપતા સમાચાર આવ્યા છે. જુદી જુદી સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડને હવે 31 માર્ચ 2018 સુધી લિંક કરાવી શકાશે. આ મામલે કેન્દ્ર સરકાર શુક્રવારે અધિસૂચના જાહેર કરીને આધારની અનિવાર્યતાની ડેડલાઈન વધારવામાં આવશે. પરંતુ સરકારે સ્પષ્ટતા કરી છે કે 31 માર્ચ સુધી માત્ર એ લોકો જ આધાર લિંક કરાવી શકશે જેની પાસે 31 ડિસેમ્બર સુધી આધાર નહીં હોય.
3/3
ગુરુવારના રોજ સરકારી યોજનાઓનો લાભ ઉઠાવવા માટે આધાર કાર્ડની અનિવાર્યતાને પડકારનાર અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારે આ વાત કહી હતી. આધારની અનિવાર્યતા પર રોકની માગણીવાળી અરજી પર સુપ્રીમ કોર્ટે બંધારણીય બેંચ બનાવવાની વાત કરી હતી. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ અરજદારોને કહ્યું કે આવતા અઠવાડિયે કોર્ટ 5 સબ્યોની સંવિધાન પીઠ બનાવશે, જે આ અરજીઓની સુનાવણી હાથ ધરશે.