શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે બેંકો પાસે માગી 2.5 લાખથી વધારે જમા કરાવનારા લોકોની યાદી
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/12075808/3-income-tax-dept-asks-banks-to-report-cash-deposit-above-rs-2.5-lakh_money.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![અનેક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું કહેવું છે કે એવું નથી કે ૨.૫ લાખ સુધી જમા કરાવવાથી તમે નિશ્ચિંત થઇ જાઓ છો. કેમકે, જો આ રકમ તમારી આવકથી મેળ ખાય છે તો પણ તમારી પૂછપરછ થઇ શકે છે. મતલબ કે તમારી વાર્ષિક આવક માત્ર બે લાખ છે અને તમે અચાનક તમારા ખાતામાં ૫૦૦ ૧૦૦૦ની ચલણી નોટોમાં ૨.૫ લાખની રકમ જમા કરાવશો તો તમારી પણ પૂછપરછ થઇ શકે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/12075813/5-income-tax-dept-asks-banks-to-report-cash-deposit-above-rs-2.5-lakh_money.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનેક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું કહેવું છે કે એવું નથી કે ૨.૫ લાખ સુધી જમા કરાવવાથી તમે નિશ્ચિંત થઇ જાઓ છો. કેમકે, જો આ રકમ તમારી આવકથી મેળ ખાય છે તો પણ તમારી પૂછપરછ થઇ શકે છે. મતલબ કે તમારી વાર્ષિક આવક માત્ર બે લાખ છે અને તમે અચાનક તમારા ખાતામાં ૫૦૦ ૧૦૦૦ની ચલણી નોટોમાં ૨.૫ લાખની રકમ જમા કરાવશો તો તમારી પણ પૂછપરછ થઇ શકે છે.
2/5
![આવકવેરા વિભાગે પોતાની વેબસાઇટ પર જે નવી વિંડો મૂકી છે તેની મારફતે તમારા દ્વારા જમા તમામ રકમ પર નજર રાખી શકાય છે અને એ પણ ઓનલાઇન. જો જમા કરવામાં આવેલી રકમ નિયત મર્યાદાથી વધુ છે તો તમને કેટલાક સવાલોનો જવાબ ઓનલાઇન આપવો પડશે. જેમકે બિનહિસાબી આવક ક્યાંથી આવી સહિતના સવાલો તેમાં મુખ્ય રહેશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/12075811/4-income-tax-dept-asks-banks-to-report-cash-deposit-above-rs-2.5-lakh_money.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આવકવેરા વિભાગે પોતાની વેબસાઇટ પર જે નવી વિંડો મૂકી છે તેની મારફતે તમારા દ્વારા જમા તમામ રકમ પર નજર રાખી શકાય છે અને એ પણ ઓનલાઇન. જો જમા કરવામાં આવેલી રકમ નિયત મર્યાદાથી વધુ છે તો તમને કેટલાક સવાલોનો જવાબ ઓનલાઇન આપવો પડશે. જેમકે બિનહિસાબી આવક ક્યાંથી આવી સહિતના સવાલો તેમાં મુખ્ય રહેશે.
3/5
![સરકારે કહ્યું છે કે બેંકોમાં ૨.૫ લાખ સુધી જમા કરાવવા પર આઇટી વિભાગ કોઇ કાર્યવાહી નહિ કરે. પરંતુ તેની પાછળ એક સચ્ચાઇ એ છે કે આની ઉપર કેટલી રકમ જમા કરાશે તે અંગે કોઇ સ્પષ્ટતા નથી કરાઇ.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/12075808/3-income-tax-dept-asks-banks-to-report-cash-deposit-above-rs-2.5-lakh_money.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સરકારે કહ્યું છે કે બેંકોમાં ૨.૫ લાખ સુધી જમા કરાવવા પર આઇટી વિભાગ કોઇ કાર્યવાહી નહિ કરે. પરંતુ તેની પાછળ એક સચ્ચાઇ એ છે કે આની ઉપર કેટલી રકમ જમા કરાશે તે અંગે કોઇ સ્પષ્ટતા નથી કરાઇ.
4/5
![ઇનકમ ટેક્સ વિભાગના આ નિર્ણયને કારણે વધુ એક તકલીફ પણ આમ આદમીને સહેવી પડે તેમ છે. સરકારના ભરોસા છતાં પણ તેણે ૨.૫ લાખ જમા કરાવીને નિશ્ચિંત થવાનું નથી. આવક વેરા વિભાગ આ કેસમાં પણ તેની પૂછપરછ કરી શકે છે. મોદી સરકાર મહેનતથી કમાણી કરનાર લોકોને પરેશાન ન કરવાનું ભલે કહેતી હોય પરંતુ તેની અનેક નીતિઓ સ્પષ્ટ ન હોવાથી લોકો ગૂંચવાયા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/12075806/2-income-tax-dept-asks-banks-to-report-cash-deposit-above-rs-2.5-lakh_money.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઇનકમ ટેક્સ વિભાગના આ નિર્ણયને કારણે વધુ એક તકલીફ પણ આમ આદમીને સહેવી પડે તેમ છે. સરકારના ભરોસા છતાં પણ તેણે ૨.૫ લાખ જમા કરાવીને નિશ્ચિંત થવાનું નથી. આવક વેરા વિભાગ આ કેસમાં પણ તેની પૂછપરછ કરી શકે છે. મોદી સરકાર મહેનતથી કમાણી કરનાર લોકોને પરેશાન ન કરવાનું ભલે કહેતી હોય પરંતુ તેની અનેક નીતિઓ સ્પષ્ટ ન હોવાથી લોકો ગૂંચવાયા છે.
5/5
![નવી દિલ્હીઃ બ્લેકમનીપર નજર રાખવા માટે સરકારે 500 રૂપિયા અને 1000 રૂપિયાની જૂની નોટ બંધ કરી દીધી છે અને હવે સરકારે સ્પષ્ટ કર્યું છે કે, જે પણ પોતાની આવક કરતાં વધારે રકમ બેંકમાં જમા કરાવશે તેના પર ઇનકમ ટેક્સ વિભાગની નજર રહેશે. ઇનકમ ટેક્સ વિભાગે બેંકોને કહ્યું છે કે, 2.5 લાક રૂપિયાથી વધારેની જૂની નોટ જમા કરાવવા આવતા લોકોની માહિતી આપવામાં આવે. જોકે આ પહેલા આ મર્યાદા વાર્ષિક 10 લાખની હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/12075804/1-income-tax-dept-asks-banks-to-report-cash-deposit-above-rs-2.5-lakh_money.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ બ્લેકમનીપર નજર રાખવા માટે સરકારે 500 રૂપિયા અને 1000 રૂપિયાની જૂની નોટ બંધ કરી દીધી છે અને હવે સરકારે સ્પષ્ટ કર્યું છે કે, જે પણ પોતાની આવક કરતાં વધારે રકમ બેંકમાં જમા કરાવશે તેના પર ઇનકમ ટેક્સ વિભાગની નજર રહેશે. ઇનકમ ટેક્સ વિભાગે બેંકોને કહ્યું છે કે, 2.5 લાક રૂપિયાથી વધારેની જૂની નોટ જમા કરાવવા આવતા લોકોની માહિતી આપવામાં આવે. જોકે આ પહેલા આ મર્યાદા વાર્ષિક 10 લાખની હતી.
Published at : 12 Nov 2016 07:59 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
સમાચાર
ક્રિકેટ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)