શોધખોળ કરો
ભારત-ચીનની ડોકલામ પરથી સેના હટાવવાની પ્રક્રિયા શરૂ
1/4

નવી દિલ્લી: ડોકલામ પર છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલા વિવાદ બાદ ભારતીય સેનાએ સોમવારે ડોકલામના સરહદ વિસ્તારમાંથી સેનાને હટાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ચીન પણ તેમના સૈનિકોને ત્યાંથી હટાવી રહ્યું છે. સૈન્ય સૂત્રોએ આ જાણકારી આપી કે, ચીન અને ભારત વચ્ચે ડોકલામમાં લગભગ ત્રણ મહીના સુધી ચાલી રહેલા તણાવ બાદ જવાનોને હટાવવા સહમત થયા છે. ભારત સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે, બન્ને બાજુથી સેનાઓને હટાવવામાં આવશે.
2/4

વિદેશ મંત્રાલયે જારી કરેલા નિવેદનમાં કહ્યું કે, કેટલાક અઠવાડિયામાં ભારત અને ચીન ડોકલામ પર થયેલી ઘટના બાદ પણ બન્ને દેશોએ આ મુદ્દા પર રાજનીતિક સંપર્ક બનાવી રાખ્યો જેના કારણે આપણે આપણા વિચારોને વ્યક્ત કરી શક્યા અને આપણી ચિંતાઓ અને હિતોને જણાવી શક્યા, નિવેદન પ્રમાણે આ આધાર પર ડોકલામ પરથી સેનાઓ હટાવવાની સહમતી બની છે. જે ચાલુ છે.
Published at : 29 Aug 2017 08:48 AM (IST)
Tags :
DoklamView More






















