શોધખોળ કરો
મોદી સરકારના કાર્યકાળમાં બેરોજગારી દરે તોડ્યો 45 વર્ષનો રેકોર્ડઃ રિપોર્ટ
1/4

નવી દિલ્હી: દેશમાં બેરોજગારીના દરે છેલ્લા 45 વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે. નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ(એનએસએસઓ)ના જાહેર કરેલા રિપોર્ટ પ્રમાણે દેશમાં બેરોજગારીનો દર 6.1 ટકા થઈ ગયો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, બેરોજગારીનો આંકડો 45 વર્ષના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો છે. વર્ષ 2011-12માં બેરોજગારીનો આંકડો 2.2 ટકા હતો. રિપોર્ટ પ્રમાણે 2017-18માં શહેરી ક્ષેત્રે પુરુષ યુવાઓમાં 18.7 ટકા બેરોજગારી દર છે જ્યારે મહિલાઓમાં આ દર 27.2 ટકા છે.
2/4

રિપોર્ટ અનુસાર નોટબંધી બાદ બેરોજગારીના આંકડાઓમાં ભારે વધારો થયો હતો. ઉલ્લેખનીય છે કે 8 નવેમ્બર 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીનું એલાન કર્યુ હતુ. આ એલાન પછી 500 અને 1000ની નોટો ચલણમાંથી હટાવવામાં આવી હતી.
Published at : 31 Jan 2019 04:26 PM (IST)
View More




















