જો કે ભાજપ ગુજરાતમાં પાટીદારોને વચન ચોક્કસ આપી શકે કે, અમે પાટીદારોને નવા પંચના માધ્યમથી OBC અનામતનો લાભ આપીશું. પાટીદારોને ખુશ કરીને ભાજપ ગુજરાતમાં ફરી સત્તા પર આવી શકે. ભાજપ પાસે એ પછી લોકસભાની ચૂંટણી સુધીનો સમય હશે. ત્યાં સુધીમાં ભાજપ સરળતાથી પાટીદારોને અનામત આપી શકે.
2/5
કાયદો પસાર થાય તે પછી સરકાર પંચના હોદ્દેદારો નિમી શકશે. આ બધી પ્રક્રિયામાં છ મહિના નિકળી જશે એ સ્પષ્ટ છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નવેમ્બર-ડીસેમ્બર મહિનામાં યોજાવાની છે. આ સંજોગોમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં મોદી સરકાર પાટીદારોને અનામત આપી શકે તેમ નથી.
3/5
સરકારે હજુ સમિતીની રચના કરી નથી તે જોતાં આ બધી પ્રક્રિયામાં ઓછામાં ઓછા 8 મહિના નિકળી જ જાય. આ પંચમાં એક પ્રમુખ, એક ઉપપ્રમુખ અને અન્ય સભ્યો હશે. તેની ભલામણ પણ સમિતી કરશે. એ સભ્યોની નિમણૂક પહેલાં સરકારે સંસદનાં બંને ગૃહમાં નવા પંચની રચના અને તેની સત્તાઓને લગતો ખરડો પસાર કરવો પડશે.
4/5
જો કે મોદી સરકારની જાહેરાત છતાં પાટીદારોને અનામતનો લાભ મળતાં ઓછામાં ઓછા બાર મહિના નિકળી જ શકે. તેનું કારણ એ કે સરકાર આ પંચની રચના માટે એક સમિતી રચશે. આ સમિતી છ મહિનામાં નવા પંચના સ્વરૂપ અંગે સરકારને અહેવાલ આપશે. એ પછી સરકાર તેની ભલામણો અંગે નિર્ણય લેશે.
5/5
નવી દિલ્લીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત લોકો માટે નવા પંચની રચનાની જાહેરાત કરી છે. આ પંચના માધ્યમથી મોદી સરકાર અનામત માટે આંદોલન કરી રહેલા ગુજરાતના પાટીદારો તથા હરિયાણાના જાટ વગેરેને અનામતનો લાભ આપશે અને પોતાની મતબેંકને સાચવી લેશે તેવી અટકળો છે.