શોધખોળ કરો
શ્રીનગરમાં જામીયા મસ્જિદમાં IS સમર્થકોએ લહેરાવ્યો ઝંડો, મીરવાઈઝને મંચ પરથી ઉતારવાની કોશિશ
1/3

શ્રીનગર: શ્રીનગરની જામિયા મસ્જિદમાં કેટલાક બુકાનીધારી લોકોએ ઈસ્લામિક સ્ટેટનો કાળો ઝંડો દેખાડયો હતો. કાશ્મીરના હુરિયત નેતા મીરવાઈઝ ઉમર ફારુક મસ્જિદમાં ભાષણ આપીને નિકળ્યા હતા અને એ પછી ભાષણના સ્થળે હંગામો શરૂ થયો હતો. આ હંગામા દરમિયાન કેટલાક બુકાનીધારીઓ ભાષણ આપવાની જગ્યાએ ચઢી ગયા હતા અને આઈએસનો કાળો ઝંડો લહેરાવ્યો હતો.
2/3

જામિયા મસ્જિદ શ્રીનગરના સંવેદનશીલ ગણાતા નોહટ્ટા વિસ્તારમાં આવેલી છે.અહીંયા ઝંડો લહેરાવવાની સાથે સાથે ભારત વિરોધી નારાજબાજી થઈ હતી. જોકે કેટલાક લોકોએ બુકાની ધારીઓને ઝંડો લહેરાવતા અટકાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો.
Published at : 29 Dec 2018 02:48 PM (IST)
Tags :
SrinagarView More





















