ગઈકાલે જ સંયુક્ત અરબ અમીરાત (યુએઈ)એ કેરળના પૂર પીડિતો માટ આશરે 700 કરોડ રૂપિયાની નાણાકીય સહાય આપવાની ઓફર કરી હતી. કેરળના મુખ્યમંત્રી પિનરાયી વિજયને તિરુવનંતપુરમમાં કહ્યું કે અબુ ધાબીના વલીહદ શહજાદે શેખ મોહમ્મદ બિન જાયેદ અલ નાહયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને સહાયતાની ઓફર કરી હતી. યુએઈમાં આશરે 30 લાખ ભારતીયો રહે છે અને કામ કરે છે. જેમાંથી 80 ટકા કેરળના છે. માલદીવ સરકારે પણ કેરળના પૂર પીડિત લોકોની મદદ માટે 35 લાખ રૂપિયા દાન આપવાનો ફેંસલો કર્યો છે.
2/3
સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા 15 વર્ષથી ભારતની નીતિ ઘરેલુ મુશ્કેલીઓનો સામનો કરવા સરકાર સ્વ-સંસાધનોનો ઉપયોગ કરે છે. વિદેશથી આવી રહેલી સહાય પ્રસ્તાવને વિનમ્રતાથી ઈનકાર કરી દે તેમ કેન્દ્ર સરકાર વતી કેરળ સરકારને પણ જણાવવામાં આવ્યું છે.
3/3
નવી દિલ્હીઃ કેરળમાં પૂરના કારણે થયેલા નુકશાન બાદ દરેક લોકો મદદ માટે આગળ આવી રહ્યા છે. અનેક દેશોએ મદદની ઓફર કરી કરી છે. આ દરમિયાન એવા અહેવાલ મળી રહ્યા છે કે, કેન્દ્ર સરકાર મદદ પ્રસ્તાવનો વિનમ્રતાથી ઈન્કાર કરી રહી છે.