શોધખોળ કરો
મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, મરાઠાઓને સામાજિક અને શૈક્ષણિક આધારે મળશે અનામત, જાણો વિગત
1/3

મુંબઈ: મરાઠા અનામતને લઈને મહારાષ્ટ્ર કેબિનેટે મહત્વનો નિર્ણય લેતા મરાઠા અનામત વિધેયકને મંજૂરી આપી દિધી છે. મુખ્યમંત્રી દેવેંદ્ર ફડણવીસે જાહેરાત કરી છે કે મરાઠા સમાજને સમાજિક અને શૈક્ષણિક આધાર ઉપર અનામતનો લાભ મળશે. મરાઠા સમાજને SEBC સામાજિક, શૌક્ષણિક પછાત વર્ગ બનાવીને અનામત આપવામાં આવશે.
2/3

મંત્રીમંડળે રવિવારે અનામત પર પછાત વર્ગ આયોગના રિપોર્ટને સ્વાકાર કરી લીધો છે. મંત્રીમંડળે આયોગની ત્રણ ભલામણને મંજૂરી આપી દીધી છે, અને મરાઠાઓને અલગ-અલગ કોટામાં અનામત આપવામાં આવશે. મુખ્યમંત્રી ફડણવીસે આ મુદ્દે એક પ્રેસ કોન્ફરન્સ કરી જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, સહ્યાદ્રીમાં આયોજીત કેબિનેટ બેઠકમાં અનામતની સાથે દુકાળ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે, શીતકાલિન સત્રની પૃષ્ઠભૂમી પર આ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
Published at : 18 Nov 2018 07:11 PM (IST)
View More





















