મુંબઈ: મુંબઈમાં કૉંગ્રેસ અને મહારાષ્ટ્ર નવનિર્માણ પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે આજ કાલ ઘર્ષણ જોવો મળી રહ્યું છે. કૉંગ્રેસ, ઉત્તર ભારતીય ફેરીવાળાના સમ્માનમાં રેલી કાઢી રહી હતી જ્યાં એમએનએસ કાર્યકર્તા પહોંચ્યા અને વિવાદ થયો હતો. સ્થિતી એવી સર્જાઈ હતી કે પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.
2/6
કૉંગ્રેસે આ મુદ્દાને હાથો હાથ લીધો અને ફેરીવાળાના સમર્થનમાં પ્રદર્શન કરવાની જાહેરાત કરી હતી. અને આ પ્રદર્શન દરમિયાન કૉંગ્રેસ અને એમએનએસના કાર્યક્રતાઓ વચ્ચે ઝપાઝપી થઈ.
3/6
ઉત્તર ભારતીયો વિરુદ્ધ અભિયાન એમએનએસ માટે કોઈ નવી વાત નથી. પાર્ટી જ્યારથી બની છે ત્યારથી તે ઉત્તર ભારતીય વિરૂદ્ધ અભિયાન ચલાવી રહી છે.
4/6
એલ્ફિન્સટન પુલની ઘટના બાદ રાજ ઠાકરેની પાર્ટી સાથે જોડાયેલા લોકોએ મુંબઈમાં ફેરીવાળા સાથે મારપીટ કરી હતી, આ લોકોએ ફેરિવાળાનો સામાન પણ રસ્તા પર ફેકી દીધો હતો.પોલીસે જ્યારે આ કાર્યકર્તાએ રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેની સાથે પણ બદમાશી કરી હતી.
5/6
મહારાષ્ટ્ર નવનિર્માણ પાર્ટી, ઉત્તર ભારતીય ફેરીવાળા વિરુદ્ધ અભિયાન ચલાવી રહી છે. હાલમાંજ પાર્ટી કાર્યકર્તાઓને ફેરિવાળા સાથે મારપીટ પણ કરી હતી.
6/6
ઉત્તર ભારતીય ફેરીવાળાના સમર્થનમાં કૉંગ્રેસનું પ્રદર્શન દાદર રેલવે સ્ટેશનની બહાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક આ પ્રદર્શનમાં બે ડઝની વધારે એમએનએસ કાર્યકર્તાઓ પહોંચી ગયા અને બંને પક્ષો વચ્ચે ઘર્ષણ શરૂ થઈ ગયું હતું.