શોધખોળ કરો
ભારતને યુદ્ધ તરફ ધકેલી રહી છે મોદી સરકાર, તેનું પરિણામ જગજાહેર છેઃ ચીની મીડિયા
1/5

કોમ્યૂનિસ્ટ પાર્ટીના અખબારના સંપાદકીય લેખમાં લખ્યું કે, મોદી સરકાર દેશના લોકોને ખોટું બોલી રહી છે કે 2017નું ભારત 1962થી અલગ છે. છેલ્લા 50 વર્ષોમાં બંન્ને દેશોની તાકાતમાં મોટુ અંતર છે. જો મોદી સરકાર યુદ્ધ કરવા માંગતી હોય તો તેમણે લોકોને સત્ય જણાવવું જોઈએ.
2/5

અગાઉ ચીનના એક સેન્ય નિષ્ણાંતે કહ્યું કે ચીન ડોકલામથી પોતાના સૈનિકોને પાછા નહીં હટાવે. જો તે આવું કરશે તો ભારતને ભવિષ્યમાં ચીન માટે સમસ્યા ઊભી કરવાનું પ્રોત્સાહન મળશે. ઇન્ટરનેશનલ કોલેજ ઓફ ડિફેન્સમાં સહાયક પ્રાધ્યાપક યૂ દોંગશિયોમે કહ્યું કે જો ભારત રણનીતિકાર અને નીતિ નિર્માતા આ વિચારે છે કે ચીન પાછળ હટે તો તે ભૂલ કરે છે.
Published at : 05 Aug 2017 12:05 PM (IST)
View More
ટ્રેન્ડિંગ સમાચાર






















