શિવ પ્રતાપ શુક્લાને વિત્ત રાજ્યમંત્રી બનાવાયા છે. અશ્વિની કુમાર ચોબેને સ્વાસ્થય પરિવાર કલ્યાણ રાજ્યમંત્રીની જવાબદારી સોંપાવામાં આવી છે. વીરેંદ્ર કુમારને મહિલા અને બાળ વિકાસમંત્રીની જવાબદારી સોંપાઈ છે. અનંત કુમાર હેગડેને કૌશલ વિકાસ રાજ્યમંત્રી બનાવાયા છે.
2/6
આરકે સિંહને ઉર્જા મંત્રાલયનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે. તે સિવાય સત્યપાલસિંહને માનવ સંસાધન વિકાસ મંત્રાલયના રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. વિજય ગોયલ પાસેનો રમત મંત્રાલયની સ્વતંત્ર જવાબદારી પાછી લઇ લેવામાં આવી છે અને તે જવાબદારી રાજ્યવર્ધન રાઠોડને સોંપવામાં આવી છે. રાઠોડ સૂચના અને પ્રસારણ મંત્રાલયના રાજ્યમંત્રી રહેશે.
3/6
ગજેંદ્ર સિંહ શેખાવતને કૃષિ અને કિશાન કલ્યાણ મંત્રાલયની જવાબદારી સોંપાઈ છે. સત્યપાલ સિંહને એચઆરડી મંત્રાલયના રાજ્યમંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
4/6
વિજય ગોયલ હવે સંસદીય કાર્ય રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. રાજકુમાર સિંહને ઉર્જા મંત્રાલયનો સ્વતંત્ર પ્રભાર સોંપવામાં આવ્યો છે. હરદિપસિંહ પુરીને આવાસ અને શહેરી મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.
5/6
હરદીપ પુરીને આવાસ અને શહેરી મામલાની સ્વતંત્ર જવાબદારી સોંપવામાં આવી છે. તે સિવાય અલ્ફોંસ કનનથનમને મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજીનો સ્વતંત્ર હવાલો સોંપાયો છે.
6/6
નવી દિલ્લી: કેન્દ્રની મોદી સરકારના કેબિનેટનું રવિવારે સવારે વિસ્તરણ કરાયું હતું અને કુલ 13 પ્રધાનોએ શપથ લીધા હતા. મોદી કેબિનેટના રાજ્ય કક્ષાના ચાર પ્રધાનોને કેબિનેટ જ્યારે અન્ય 9 પ્રધાનોએ રાજ્ય કક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા હતા. મોદીએ કેટલાંક મહત્વનાં ખાતાંમાં ફેરફાર કર્યા છે. મોદીએ ક્યા પ્રધાનને ક્યું ખાતું સોંપ્યું તેની વિગતો આ પ્રમાણે છે.