શોધખોળ કરો

Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ

રાજ્યમાં ચોમાસાના માહોલ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને લેટેસ્ટ આગાહી વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા અનુસાર ઓગસ્ટ મહિનામાં સૂર્ય અને ચંદ્ર ગ્રહણની અસર વૈશ્વિક હવામાનમાં ફેરફાર લાવી શકે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અંબાલાલ પટેલે ઓગસ્ટમાં ગ્રહણથી હવામાન બદલવાની આગાહી કરી.
  • 8-15 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા છે.
  • ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ, તાપી જળસ્તર વધશે.

અમદાવાદ: રાજ્યમાં ચોમાસાના માહોલ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને લેટેસ્ટ આગાહી વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા અનુસાર ઓગસ્ટ મહિનામાં સૂર્ય અને ચંદ્ર ગ્રહણની અસર વૈશ્વિક હવામાનમાં ફેરફાર લાવી શકે છે, જેની અસર ભારતીય હવામાન પર પણ જોવા મળી શકે છે. 5 ઓગસ્ટ બાદ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે પવનની ગતિમાં વધારો થવાની શક્યતા છે. ખાસ કરીને 8થી 15 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે તેવી સંભાવના તેમણે વ્યક્ત કરી છે.

સૂર્ય અને ચંદ્ર ગ્રહણથી હવામાનમાં ફેરફારની શક્યતા

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ઓગસ્ટ મહિનામાં થનારા સૂર્ય અને ચંદ્ર ગ્રહણની અસર માત્ર વૈશ્વિક હવામાન પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ ભારતીય હવામાનમાં પણ તેની અસર જોવા મળી શકે છે. ગ્રહણ બાદ વાતાવરણમાં પરિવર્તન થતાં વરસાદી સિસ્ટમ વધુ સક્રિય બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે 5 ઓગસ્ટ બાદ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે અને પવનની ગતિ પણ પ્રમાણમાં વધુ રહી શકે છે. 8થી 15 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામે તેવી સંભાવના છે, જેના કારણે ચોમાસું ફરી સક્રિય બની શકે છે.

ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની આગાહી

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ બંગાળની ખાડી અને અરબ સાગરમાંથી ભેજ ઉત્તર ભારત તરફ આગળ વધશે, જેના કારણે ઉત્તર ભારતના ઉત્તર-પૂર્વીય વિસ્તારો અને મધ્યપ્રદેશમાં વરસાદી પ્રવૃત્તિ વધવાની શક્યતા છે. તેની અસર ગુજરાત પર પણ જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. કેટલાક વિસ્તારોમાં 2થી 4 ઇંચ સુધી વરસાદ નોંધાઈ શકે તેવી પણ સંભાવના છે.

આ પણ વાંચો- Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 

તાપી નદીનું જળસ્તર વધી શકે

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને અંબાલાલ પટેલે તાપી નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરી છે. જો ઉપરવાસમાં પણ સારો વરસાદ નોંધાશે તો નદીમાં પાણીની આવક વધી શકે છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં સતર્ક રહેવાની જરૂર પડી શકે છે. અંબાલાલ પટેલે ઓગસ્ટ બાદ સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા અનુસાર ગણેશ ચતુર્થી દરમિયાન પણ વરસાદ પડી શકે છે. ઉપરાંત 12 સપ્ટેમ્બર બાદ ફરી એક વખત વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે. તેમણે ઓગસ્ટ અને સપ્ટેમ્બર બંને મહિનામાં પવનની ગતિ વધુ રહેવાની સાથે વરસાદી પ્રવૃત્તિ ચાલુ રહેવાની શક્યતા દર્શાવી છે.  

17 ઓગસ્ટથી મઘા નક્ષત્રનો પ્રારંભ, કૃષિ માટે શુભ સંકેત

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 17 ઓગસ્ટથી સૂર્ય મઘા નક્ષત્રમાં પ્રવેશ કરશે. પરંપરાગત માન્યતા અનુસાર જો મઘા નક્ષત્ર દરમિયાન સારો વરસાદ થાય તો તે કૃષિ માટે લાભદાયી માનવામાં આવે છે. જોકે આ ધાર્મિક-પરંપરાગત માન્યતા છે અને વાસ્તવિક વરસાદની સ્થિતિ હવામાન પ્રણાલીઓ તથા હવામાન વિભાગના વૈજ્ઞાનિક અનુમાન પર આધારિત રહેશે. ખેડૂતોને હવામાન વિભાગની સત્તાવાર આગાહીઓ પર સતત નજર રાખવાની સલાહ આપવામાં આવી છે.     

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Chandipura Virus: રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર, 22 માસૂમોના મોત, 184 શંકાસ્પદ કેસમાંથી 35 પોઝિટિવ
Chandipura Virus: રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર, 22 માસૂમોના મોત, 184 શંકાસ્પદ કેસમાંથી 35 પોઝિટિવ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Advertisement

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
હિના ખાનથી લઈને શિવાંગી જોશી સુધી, ટીવીની આ સંસ્કારી પુત્રવધૂઓએ કેટલો કર્યો છે અભ્યાસ ?
હિના ખાનથી લઈને શિવાંગી જોશી સુધી, ટીવીની આ સંસ્કારી પુત્રવધૂઓએ કેટલો કર્યો છે અભ્યાસ ?
Embed widget