અંદાજે સર્વિસ ચાર્જના આધાર પર યાત્રીઓ પાસેથી 184 કરોડ રૂપિયા ઉભા કરી શકાયા નથી. નવેમ્બર 2016થી ફેબ્રુઆરી 2017 સુધી ઓનલાઈન બુક કરવામાં આવેલી રિઝર્વ ટિકિટ ઉપર સર્વિસ ટેક્સને લઇને પણ મુક્તિ મળી હતી. હવે આ મુક્તિને લંબાવવામાં આવી રહી છે.
2/6
સરકારે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં નોટબંધીનો નિર્ણય કર્યા બાદ આ સર્વિસ ચાર્જને ઉઠાવી લીધો હતો. બુકિંગના ડિજિટલ મોડને પ્રોત્સાહન આપવાના હેતુસર આ નિર્ણય લેવાયો હતો.
3/6
30મી જૂન સુધી રાહત આપવામાં આવી રહી છે તે અંગેની માહિતી તમામ માધ્યમો મારફતે આપવામાં આવી રહી છે. રેલવેને માહિતી અને ટેકનોલોજી પાસેથી સૂચના મળી ગઇ છે. આઈઆરસીટીસી રેંજ મારફતે ઓનલાઈન ટ્રેન ટિકિટ બુકિંગ ઉપર સર્વિસ ચાર્જ 20થી 40 રૂપિયા પ્રતિ ટિકિટ રહે છે.
4/6
ટ્રેન ટિકિટોના ઓનલાઈન બુકિંગ ઉપર સર્વિસ ચાર્જને લેવામાં આવશે નહીં. મુક્તિની સુવિધા આ વર્ષે 31મી માર્ચ સુધીની હતી પરંતુ હવે આને વધારીને 30મી જુન સુધી કરી દેવામાં આવી છે. 23મી નવેમ્બર 2016થી બુક કરવામાં આવેલી ટિકિટ માટે સર્વિસ ચાર્જને 31મી માર્ચ સુધી પરત ખેંચવાનો નિર્ણય કરાયો હતો. આ સુવિધા હવે 30મી જુન સુધી લંબાવી દેવામાં આવી છે.
5/6
રેલવે મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ આજે આ અંગેની માહિતી આપતા કહ્યું હતું કે, યાત્રીઓને આના કારણે સંપૂર્ણપણે લાભ મળશે. રિઝર્વ ટિકિટના બુકિંગ માટે ડિજિટલ મોડ મારફતે કરવામાં આવેલી ચુકવણીના લાભ મળશે. યાત્રીઓને મદદ કરવાના હેતુસર કેટલાક નિયમો નવા લાગૂ કરવામાં આવ્યા હતા.
6/6
નવી દિલ્લી: ભારતીય રેલ્વેએ પોતાના યાત્રીઓ માટે આજે મોટી જાહેરાત કરી છે. યાત્રીઓને રેલ્વેની ઈ-ટિકિટ સર્વિસ ચાર્જ પર 30 જૂન સુધી છૂટ મળશે, એટલે કે ઈ-ટિકિટ પર લાગનાર 20-10 રૂપિયા પ્રતિ ટિકિટ સર્વિસ ચાર્જ પર તમને છૂટ મળતી રહેશે.