શોધખોળ કરો
ઓડિશા: ભારે વરસાદના કારણે ભૂસ્ખલનમાં 12 લોકોના મોત, 4 લાપતા
1/3

ભુવનેશ્વર: ઓડિશાના ગજપતિ જિલ્લામાં તિતલી વાવાઝોડા બાદ થયેલા ભાર વરસાદના કારણે ભૂસ્ખલનમાં 12 લોકોના મોત નીપજ્યા હોવાની આશંકા છે. જ્યારે ચાર લોકો ગુમ છે. આ જાણકારી વિશેષ રાહત કમિટીના અધ્યક્ષ પીવી સેઠીએ શનિવારે આપી હતી. કમિટીએ જણાવ્યું કે શુક્રવારે સાંજે જ્યારે આ ઘટના થઈ ત્યારે ગામના લોકોએ ભારે વરસાદ કારણે એક ગુફા જેવી જગ્યાએ ઘુસી ગયા હતા.
2/3

અધિકારીએ જણાવ્યું કે અનેક વિસ્તારોમાં પાણી ઘટ્યા બાદ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મુખ્યમંત્રી નવીન પટનાયકે સ્થિતિની સમીક્ષા કરવા માટે ગંજમ, ગજપતિ અને રાયગઢા જિલ્લા સહિત કેટલાક પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.
Published at : 13 Oct 2018 08:08 PM (IST)
View More





















