શોધખોળ કરો
આજે ફરીથી થશે મોદી સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની કોશિશ
Written By : એબીપી અસ્મિતા વેબ ટીમ | Updated at : 20 Mar 2018 11:55 AM (IST)
1/11

નવી દિલ્હીઃ અવિસ્વાસ પ્રસ્તાવનો મામલો સંસદમાં ફરી એકવાર ફસાતો દેખાઇ રહ્યો છે, સોમવારે લોકસભામાં પ્રસ્તાવની નોટીસ પર એકવાર ફરી આગળ વધી શકી. 12 વાગ્યા પછી ટીડીપી, વાયએસઆર કોંગ્રેસ અને એઆઇએડીએમકેના સાંસદોના હોબાળાના કારણે સ્પીકરે લોકસભાની કાર્યવાહી આખા દિવસ માટે સ્થગિત કરી દીધી હતી.
2/11

3/11

વિપક્ષ તો બીજેપી સરકારના વિરૂદ્ધ ઘેરાબંધીમાં જોડાયેલું છે. એક રિપોર્ટ એવા પણ છે કે સહયોગી શિવસેનાએ પણ અવિશ્વાસ પ્રસ્તાવ પર તટસ્થ રહેવાની જાહેરાત કરી દીધી છે. શિવસેના સાંસદ ચંદ્રકાંત ખેરે કહ્યું કે 2019ની ચૂંટણી પહેલા અવિશ્વાસના કારણે 2014માં સરકાર બનાવનારી મોદી સરકાર સામે એક સંકટ જરૂર ઉભુ થઇ જશે અને 2019ની ચૂંટણી જીતવા માટે તેમને નવી રણનીતિથી કામ કરવું પડશે.
4/11

ઉલ્લેખનીય છે કે, વાયએસઆર કોંગ્રેસ અને તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ની સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવાની યોજના ગઇકાલે એકવાર ફરીથી ફેઇલ થઇ ગઇ હતી. લોકસભા અને રાજ્યસભામાં જોરદાર હંગામો થતા બન્ને ગૃહોની કાર્યવાહીને સ્પીકરે સ્થગિત કરી દીધી હતી.
5/11

સરકારમાંથી અલગ થયેલી ટીડીપીની પાસે 16 સાસંદ છે. અવિશ્વાસ લાવવાવાળી બીજી એક પાર્ટી વાયએસઆરની પાસે 9 સાંસદ છે. 34 સાંસદો વાળી બંગાળની સીએમ મમતા બેનર્જીની ટીએમસીએ આ પ્રસ્તાવનું સમર્થન કર્યું છે, એટલે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા જરૂરી 54 સાંસદોનું સમર્થન મળી ગયું છે. કોંગ્રેસની સાથ આપે તો આ પ્રસ્તાવને વધુ બળ મળશે.
6/11

વળી, કોંગ્રેસ નેતા અશ્વિની કુમારનું કહેવું છે કે તેની પાર્ટી અવિશ્વાસ પ્રસ્તાવની સાથે છે. તેમને વધુમાં કહ્યું કે વિપક્ષ આના પર એકજૂથ છે. અશ્વિની કહે છે કે તેને તો પહેલાથી જ સરકાર પર અવિશ્વાસ છે. વળી, તેમને માહિતી આપી છે કે આ પ્રસ્તાવ લાવવા તેમની પાર્ટીએ જરૂરી 54 મતો એકઠા કરી લીધા છે.
7/11

મોદી સરકાર વિરુદ્ધ પહેલા અવિશ્વાસ પ્રસ્તાવને લેફ્ટ અને કોંગ્રેસે પણ સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે. સીપીએમના મહાસચિવ સીતારામ યેચૂરીએ આના પર કહ્યું, "અમે અવિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન કરીશું, મોદી સરકારે આંધ્રપ્રદેશની જનતાની સાથે દગો કર્યો છે. ભાજપે આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનો વાયદો પુરો નથી કર્યો. હૈદારબાદને તેલંગાણામાં જવાથી જે આર્થિક ક્ષતિ થઇ છે તેની ભરપાઇ થવી જોઇએ. વિશેષ રાજ્યનો દરજ્જો મળવો જોઇતો હતો."
8/11

વાયએસઆર કોંગ્રેસે પોતાના બધા સાંસદોને વ્હિપ રજૂ કરી આજે સંસદમાં હાજર રહેવા કહ્યું છે. ટીડીપી અને વાયએસઆર કોંગ્રેસે કેન્દ્ર સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે ત્રણ નોટિસ આપી છે. આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો ન મળવાથી નારાજ ટીડીપી પહેલા એનડીએથી અલગ થઇ અને સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન કરી રહી છે.
9/11

વળી, વાયએસઆર કોંગ્રેસના સાંસદ વાઇવી સુબ્બા રેડ્ડીએ કહ્યું, "અમે ઇચ્છીએ છીએ કે આખો દેશ એ વાતની ખબર પડે કે આંધ્રપ્રદેશના લોકો કેમ મુ્શ્કેલીઓ ઝીલી રહ્યાં છે? એટલે અમે અવિશ્વાસનો પ્રસ્તાવ લઇને આવી રહ્યાં છીએ. અમે બધા વિપક્ષી દળો સાથે વાત કરી છે, બધા સાથ આપી રહ્યાં છે. જ્યારે અમે અવિશ્વાસ પ્રસ્તાવ લાવીશું ત્યારે કોંગ્રેસ, ટીએમસી, સીપીએમ, એસપી અમારી સાથે ઉભા રહેશે."
10/11

નોંધનીય છે કે, ટીડીપી અને ટીડીપીનો ઘોર આંધ્રની પાર્ટી વાઇએસઆર કોંગ્રેસે મોદી સરકાર વિરુદ્ધ આ અવિશ્વાસ પ્રસ્તાવની જાહેરાત કરી છે. આના પર વાત કરતા ટીડીપીના સાંસદ રવિન્દર બાબુએ કહ્યું "અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનું કારણ એ છે કે અમારો વિશ્વાસ બીજેપી પરથી ઉઠી ગયો છે."
11/11

વળી, સરકારે આ મામલે કહ્યું હતું કે, તે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા માટે તૈયાર છે, પણ વિપક્ષનો આરોપ છે કે એઆઇએડીએમકે જેવી પાર્ટીઓ દ્વારા સરકાર સંસદમાં હોબાળો કરાવીને અવિશ્વસના પ્રસ્તાવ પર ચર્ચા કરવવાને લઇને ભાગી રહી છે. બન્ને પક્ષોના તેવરમાં ફેરફારના કોઇ સંકેત નથી દેખાતા, એટલે માની શકાય કે આજે પણ સંસદમાં હોબાળો થઇ શકે છે.
Published at : 20 Mar 2018 09:08 AM (IST)
Tags :
No Confidence MotionSponsored Links by Taboola
ટોપ સ્ટોરી
જામનગર
Jamnagar Rain: જામજોધપુરમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
રાજકોટ
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
ગુજરાત
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ
ગુજરાત
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
ટ્રેન્ડિંગ સમાચાર






















