શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અમૃતસરમાં દશેરા પર મોટી ટ્રેન દુર્ઘટના, 61ના મોત, અનેક લોકો ઘાયલ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/19145539/22_11_481506610a1-ll.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/6
![ઘટનાની જાણ થતાં રેલવે પોલિસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. આ ટ્રેન પઠાણકોટથી અમૃતસર આવી રહી હતી. ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટના દિલ્હી-અમૃતસર માર્ગ પર થઈ છે. આ ઘટના પાછળ તંત્રની બેદરકારી માનવામાં આવી રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/19145539/10.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઘટનાની જાણ થતાં રેલવે પોલિસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. આ ટ્રેન પઠાણકોટથી અમૃતસર આવી રહી હતી. ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટના દિલ્હી-અમૃતસર માર્ગ પર થઈ છે. આ ઘટના પાછળ તંત્રની બેદરકારી માનવામાં આવી રહી છે.
2/6
![અમૃતસર: પંજાબના અમૃતસરમાં દશેરાના દિવસે મોટી દુર્ઘટના બની છે. અમૃતસરના જોડા ફાટક પાસે દેશેરાનો ઉત્સવ ઉજવી રહેલા લોકો ટ્રેનની ઝપેટમાં આવી જતાં 61થી વધુ લોકોના મોત નીપજ્યા છે. રાવણ દહન વખતે પૂતળાને આગ લગાવવામાં આવી, ત્યારે દોડધામ મચી ગઈ હતી અને તેની વચ્ચે લોકો રેલવે ટ્રેક પર આવી ગયા હતા. તે સમયે જ અચાનક પૂરપાટ દોડતી ટ્રેન આવી ગઈ હતી. અને લોકો તેની ઝપેટમાં આવી ગયા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/19145539/22_11_481506610a1-ll.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમૃતસર: પંજાબના અમૃતસરમાં દશેરાના દિવસે મોટી દુર્ઘટના બની છે. અમૃતસરના જોડા ફાટક પાસે દેશેરાનો ઉત્સવ ઉજવી રહેલા લોકો ટ્રેનની ઝપેટમાં આવી જતાં 61થી વધુ લોકોના મોત નીપજ્યા છે. રાવણ દહન વખતે પૂતળાને આગ લગાવવામાં આવી, ત્યારે દોડધામ મચી ગઈ હતી અને તેની વચ્ચે લોકો રેલવે ટ્રેક પર આવી ગયા હતા. તે સમયે જ અચાનક પૂરપાટ દોડતી ટ્રેન આવી ગઈ હતી. અને લોકો તેની ઝપેટમાં આવી ગયા હતા.
3/6
![પોલીસે જણાવ્યા અનુસાર 50 લોકોના મોતની પુષ્ટી થઈ છે. મૃતકોની સંખ્યા વધે તેવી આશંકા છે. આ ઘટના ત્યારે બની જ્યારે લોકો રેલવે ટ્રેક પાસે ઉભા રહીને દશેરાનો ઉત્સવમાં મગ્ન હતા. ત્યારે પાટા પર બન્ને બાજુથી ટ્રેનો આવી ગઈ, જેણે અનેક લોકોના જીવ લઈ લીધા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/19145539/1539966094.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
પોલીસે જણાવ્યા અનુસાર 50 લોકોના મોતની પુષ્ટી થઈ છે. મૃતકોની સંખ્યા વધે તેવી આશંકા છે. આ ઘટના ત્યારે બની જ્યારે લોકો રેલવે ટ્રેક પાસે ઉભા રહીને દશેરાનો ઉત્સવમાં મગ્ન હતા. ત્યારે પાટા પર બન્ને બાજુથી ટ્રેનો આવી ગઈ, જેણે અનેક લોકોના જીવ લઈ લીધા.
4/6
![આ ઘટના પર વડાપ્રધાન મોદી અને કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. ગૃહમંત્રી રાજનાથ સિંહે શોક વ્યક્ત કરતા કહ્યું કે, તહેવાર સમયે આવી દુર્ઘટના ખૂબજ દુખભરી છે. અમૃતસર ટ્રેન દુર્ઘટનાની જાણ થતા રેલવે મંત્રી પીયૂષ ગોયલ પોતાની અમેરિકા યાત્રા કેન્સલ કરી પરત આવી રહ્યા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/19202250/Dp4Py-_X4AAzGOn.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ઘટના પર વડાપ્રધાન મોદી અને કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. ગૃહમંત્રી રાજનાથ સિંહે શોક વ્યક્ત કરતા કહ્યું કે, તહેવાર સમયે આવી દુર્ઘટના ખૂબજ દુખભરી છે. અમૃતસર ટ્રેન દુર્ઘટનાની જાણ થતા રેલવે મંત્રી પીયૂષ ગોયલ પોતાની અમેરિકા યાત્રા કેન્સલ કરી પરત આવી રહ્યા છે.
5/6
![પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહએ ઘટનાને લઈને દુખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલો ઘાયલોની સારવાર માટે ખુલ્લી રાખવામાં આવે. મુખ્યમંત્રી ઘટના સ્થળ પર જવા માટે રવાના થઈ ગયા છે. તેમણે મૃતકોના પરિવારને 5 લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે. સાથે ઘાયલોને મફત સારવારની પણ જાહેરાત કરી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/19202245/Dp4NgCsWoAEGTZe.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહએ ઘટનાને લઈને દુખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલો ઘાયલોની સારવાર માટે ખુલ્લી રાખવામાં આવે. મુખ્યમંત્રી ઘટના સ્થળ પર જવા માટે રવાના થઈ ગયા છે. તેમણે મૃતકોના પરિવારને 5 લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે. સાથે ઘાયલોને મફત સારવારની પણ જાહેરાત કરી છે.
6/6
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/19202137/index-1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Published at : 19 Oct 2018 08:25 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)