શોધખોળ કરો
PM મોદીનો કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું - કર્ણાટક ચૂંટણી પરિણામ બાદ INC માત્ર PPP રહી જશે
1/5

બેંગલુરૂ: કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે મોદીએ આજે કર્ણાટકમાં ચૂંટણી સભા સંબોધન કરતી વખતે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસ મુક્ત ભારતનો નારો આપી ચૂકેલા વડાપ્રધાન મોદીએ જનસભાને સંબોધતા કહ્યું કે, રાજ્યના ચૂંટણી પરિણામ બાદ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ (INC)માંથી પુડ્ડુચેરી, પંજાબ અને પરિવાર (PPP) કોંગ્રેસ બની જશે.
2/5

મોદીએ કહ્યું કે, તમને ક્યારેય વિચાર આવ્યો છે કે કોંગ્રેસને ટિકિટની વહેંચણીમાં આટલો સમય કેમ લાગે છે? એટલા માટે, કારણકે તેમને ત્યાં ટિકિટ માટે ટેન્ડર સિસ્ટમ છે. ત્યાં સીએમ બનવા માટે પણ ટેન્ડર સિસ્ટમ છે. જે કોઇ દિલ્હીમાં સૌથી વધુ નાણા મોકલે છે તેને કોંગ્રેસમાં સીએમ પદ મળે છે.
Published at : 05 May 2018 04:46 PM (IST)
View More




















