શોધખોળ કરો
પ્રેસ કોન્ફરન્સમાં PM મોદીએ કર્યો ફરી સરકાર બનાવવાનો દાવો, અમિત શાહે આપ્યા સવાલોના જવાબ

Background
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. અમિત શાહે કહ્યુંકે, અંતિમ તબક્કાના મતદાન અગાઉ આ અંતિમવાર પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરવામાં આવી રહી છે. તેમની સાથે વડાપ્રધાન મોદી પણ હાજર છે.
20:26 PM (IST) • 17 May 2019
મોદીએ કહ્યું કે, આ ચૂંટણી સકારાત્મક અને શાનદાર રહી છે. તે આ વખતે ચૂંટણી પ્રચાર કરી રહ્યા નહોતા પરંતુ લોકોનો આભાર માની રહ્યા હતા. મોદીએ કહ્યું કે, ચૂંટણી દરમિયાન આઇપીએલ, બોર્ડની પરિક્ષાઓ, રમઝાન અને નવરાત્રી એકસાથે ચાલી રહી છે. ભારત દુનિયાનો સૌથી મોટો લોકતંત્ર દેશ છે. વિશ્વને આપણે પ્રભાવિત કરવા જોઇએ.
20:26 PM (IST) • 17 May 2019
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 17મે 2014 બાદથી ઇમાનદાર સરકારની શરૂઆત થઇ ગઇ હતી. 2014ની લોકસભા ચૂંટણીનો ઉલ્લેખ કરી કહ્યું કે, 16મેના પરિણામ આવ્યા હતા. 17 મે બાદ મોદી આવતાની સાથે ભ્રષ્ટાચારીઓને તેની કિંમત ચૂકવવી પડી હતી. સટ્ટા માર્કેટમાં ત્યારે કોગ્રેસનો રેટ 18 રહ્યો હતો અને ભાજપનો 75 હતો.
Load More
ગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ . બોલિવૂડ, રમતગમત, રાજકારણ સહિતના તમામ મોટા સમાચાર માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એટલે એબીપી અસ્મિતા. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો એબીપી અસ્મિતા.
New Update





















