મીરા કુમારને CWCના સ્થાયી આમંત્રિત સભ્ય બનાવ્યા છે. આનંદ શર્માને વિદેશ વિભાગના ચેરમેનની જવાબદારી સોંપવામાં આવી છે. લુજિયો ફલેરિઓને મહાસચિવ બનાવવામાં આવ્યા અને નોર્થ ઈસ્ટની જવાબદારી આપવામાં આવી છે.
2/5
કોંગ્રેસે પાર્ટીને વિદેશ વિભાગની જવાબદારી કરણસિંહ પાસેથી આંચકીને પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્માને સોંપી છે. જ્યારે લુજિયો ફલેરિયોને કોંગ્રેસ મહાસચિવ બનાવવામાં આવ્યા છે અને તેમને નોર્થ ઈસ્ટની જવાબદારી આપવામાં આવી છે.
3/5
કોંગ્રેસે એક નિવેદનમાં કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ તાત્કાલિક અસરથી અહેમદ પટેલને કોષાધ્યક્ષ નિયુક્ત કર્યાં છે. જ્યારે મોતીલાલ વોરાને કોંગ્રેસ મહાસચિવ (પ્રશાસન)ની જવાબદારી આપવામાં આવી છે. મોતીલાલ વોરાને કોષાધ્યક્ષ રહ્યા તે દરમિયાન પણ સારું કામ કર્યું હતું.
4/5
મોતીલાલ વોરાની જગ્યા અહેમદ પટેલને મુકવામાં આવ્યા છે. આજે અહેમદ પટેલને 69મો જન્મદિવસ છે. તેઓ ગુજરાતના વરિષ્ઠ નેતા છે અને સોનિયા ગાંધીના રાજકિય સલાહકાર પણ છે. કોંગ્રેસમાં કોષાધ્યક્ષનું પદ બહુ જ મુખ્ય હોય છે. પાર્ટીનું નાણાં વિભાગ જોવાની જવાબદારી કોષાધ્યક્ષની હોય છે.
5/5
નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટીમાં મોટો ફેરફાર કરતાં માતા સોનિયા ગાંધીના નજીકના અહેમદ પટેલને કોષાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. રાહુલ ગાંધીએ પૂર્વ લોકસભા અધ્યક્ષ અને દલિત નેતા મીરા કુમારને CWCના સ્થાયી આમંત્રિત સભ્ય બનાવ્યા છે.