શોધખોળ કરો
3 રાજ્યોમાં મુખ્યમંત્રીઓના શપથગ્રહણ સમારોહ કઈ તારીખે યોજાશે? કોંગ્રેસ કરશે શક્તિ પ્રદર્શન
1/4

આ કાર્યક્રમ એવી રીતે નક્કી કરવામાં આવ્યો છે જેથી કરીને વધુમાં વધુ વિપક્ષી નેતાઓ તેમાં હાજરી આપી શકે. જોકે હજી ચોક્કસ તારીખની જાહેરાત કરવામાં આવી નથી. શપથગ્રહણ સમારોહમાં યુપીએ અધ્યક્ષા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના અનેક કોંગી નેતાઓ હાજર રહેશે.
2/4

ત્રણેય રાજ્યોમાં શપથ ગ્રહણ સમારોહના બહાને કોંગ્રેસ વિરોધ પક્ષો સાથે મળીને શક્તિ પ્રદર્શન કરશે. શપથ ગ્રહણ સમારોહમાં વિપક્ષના અનેક નેતાઓ હાજરી આપે તેવી શક્યતા છે. પાર્ટી સમાન વિચારધારા ધરાવતા રાજકીય પક્ષોને આમંત્રણ પાઠવશે. કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ તમામ વિરોધપક્ષના નેતાઓને સંપર્ક કરશે. તમામ નેતાઓને આવવાની અપીલ કરવામાં આવશે. જો નેતાઓ ના આવે તો તેમના પ્રતિનિધિઓને પણ મોકલવાની ભલામણ કરવામાં આવશે.
Published at : 15 Dec 2018 12:05 PM (IST)
View More





















