શોધખોળ કરો
હવે મેટ્રો જેવી થઈ જશે રાજધાની અને શતાબ્દી ટ્રેન, લાગશે ઓટોમેટિક દરવાજા
1/4

સાથે જ એવા કિસ્સા પણ સામે આવ્યા છે જ્યારે લોકો સ્ટન્ટ બતાવતા હોય ત્યારે જીમ ગુમાવ્યો હોય. ઓટોમેટિક દરવાજા લાગવાથી રેલવેને દરેક કોચદીઠ 20 લાખ રૂપિયાનો ખર્ચ આવશે. અધિકારી અનુસાર, જ્યાં સુધી દરવાજા બંધ નહીં થાય ટ્રેન આગળ નહીં વધે. ગાર્ડ કેબિનમાં સિસ્ટમ કમાન્ડ કન્ટ્રોલ કરશે. બાદમાં ડ્રાઈવર્સને પણ કન્ટ્રોલ આપવામાં આવશે. નવી સિસ્ટમમાં દરવાજા માત્ર પ્લેટફોર્મ તરફ જ ખુલશે અને બીજી બાજુ બંધ રહેશે. તેનાથી અનઅધિકૃત પ્રવેશ પણ નહીં થઈ શકે.
2/4

આ સિસ્ટમ અંતર્ગત ટ્રેન જ્યારે સ્ટેશન પર પહોંચશે ત્યારે તેનો દરવાજો આપોઆપ ખુલી જશે અને ટ્રેન રવાના થયા પહેલા જ આપોઆપ બંધ પણ થઈ જશે. હાલમાં ટ્રેનના દરવાજા લોકો દ્વારા ખોલવા અને બંધ કરવામાં આવે છે. રેલવે મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, એક પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ચાલુ વ્રષે એપ્રિલ સુધી બે રાજધાની અને બે શતાબ્દી ટ્રેનમાં આ સિસ્ટમ શરૂ થઈ જશે જેના દરવાજા ઓટોમેટિક લોકિંગ સિસ્ટમ સાથે સજ્જ હશે.
Published at : 13 Feb 2017 08:37 AM (IST)
View More























