મુંબઈ: એલફિંસ્ટન રોડ સ્ટેશન ફૂટ ઓવરબ્રિજ પર થયેલી ભાગદોડની ઘટના બાદ ક્રિકેટર અને રાજ્યસભા સાંસદ સચિન તેંડુલકરે પોતાના સ્થાનીય ક્ષેત્ર વિકાસ યોજના એમપીએલએડીએસની ગ્રાંટમાંથી 2 કરોડ રૂપિયા મુંબઈ રેલ ફૂટ ઓવરબ્રિજોના સમારકામ માટે આપ્યા છે.
2/3
તેંડુલકરે રેલમંત્રી પીયૂષ ગોયલને એક પત્ર લખીને કહ્યું કે તે મુંબઈ ઉપનગરીય જિલ્લા કલેક્ટર પાસે નિર્માણ માટે બે કરોડ રૂપિયા ફાળવવા કહ્યું છે. તેંડુલકરે વધુમાં કહ્યું કે પશ્ચીમી રેલવે અને મધ્ય રેલવેને એક એક કરોડ રૂપિયા તેના એમપીએલએડીએસમાંથી રેલવે ફૂટ ઓવર બ્રિજને તત્કાલિક સમારકામ માટે ફાળવવામાં આવે.
3/3
દર વર્ષે સાંસદોને એમપીએલએડી યોજના હેઠળ પાંચ કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે. આ રકમ મુખ્યત્વે સાંસદોને પોતાના વિસ્તારમાં નિર્માણ કાર્ય કરવા માટે આપવામાં આવે છે.