આ નવ જગ્યાઓમાં બાબરી મસ્જિદનો પણ ઉલ્લેખ કર્યો છે. શિયા વક્ફ બોર્ડે પોતાના પત્રમાં અયોધ્યા રામમંદિરની જગ્યાએ બાબરી મસ્જિદ, મથુરાના કેશવ દેવ મંદિરની જગ્યાએ બનેલી મસ્જિદ, જોનપુરની અટાલા મસ્જિદ, વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ, જામી મસ્જિદ ગુજરાત, મધ્યપ્રદેશની વીજામંડલ મસ્જિદ અને કુતુબ મીનાર સહિત નવ સ્થળનો ઉલ્લેખ કર્યો છે.
2/4
વસીમ રિઝવીએ પત્ર લખીને કહ્યું કે ઇતિહાસ સાક્ષી છે કે મુગલો અને તેના પહેલા સુલ્તાનોએ હિંદુસ્તાનને લૂંટ્યું છે. અહીં શાસન કર્યું અને અનેક મંદિરો તોડ્યા અને કેટલીક મસ્જિદો બનાવી દીધી. વસીમ રિઝવીએ પત્રમાં લખ્યું છે કે મુગલો અને સુલ્તાનોએ જે ક્રૂરતા હિંદુસ્તાનમાં બતાવી છે તે ઈસ્લામના ઉદ્ધેશ્યો વિરુદ્ધ છે. કોઈ પણ ઈબાદતગાહને જબરજસ્તી તોડીને મસ્જિદ બનાવી દેવી યોગ્ય નથી.
3/4
નવી દિલ્લી: શિયા વક્ફ બોર્ડ અને ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ એકવાર ફરી આમને સામને છે. શિયા વક્ફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડને કહ્યું કે, જે હિન્દુ મંદિરોને તોડીને ઈતિહાસમાં મસ્જિદ બનાવી છે તે તમામ જમીનો હિન્દુઓને પાછી આપવામાં આવે.
4/4
મંગળવારે શિયા વક્ફ બોર્ડે મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડને પત્ર લખી જણાવ્યું છે જેમાં નવ એવી જગ્યાનો ઉલ્લેખ કર્યો છે. જ્યાં ઈતિહાસમાં મુસ્લિમ શાસકોએ મંદિર તોડી મસ્જિદનું નિર્માણ કર્યું હતું. તેવી જમીનો હિંદુઓને પાછી આપવા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડને કહ્યું છે.