Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
નર્મદાના ડેડીયાપાડામાં યોજાયો એક પેડ મા કે નામ કાર્યક્રમ.. જાનકી આશ્રમમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા પર કર્યા શાબ્દિક પ્રહાર.. વિકાસના કામો ભાજપે કર્યા હોવાનો દાવો કરીને મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટીને વિકાસના કાર્યો મુદ્દે જાહેરમાં ચર્ચા કરવાનો પડકાર ફેંક્યો.. એટલુ જ નહીં.. આદિવાસીઓ માટે નહીં, પરંતુ પોતાના પરિવારના કેટલાક લોકોની જંગલની જમીનના મુદ્દે ચૈતર વસાવાએ ઝઘડો કર્યો અને એટલે જ તેમને જેલમાં જવાનો વારો આવ્યો તેવો મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો.
કાર્યક્રમને સંબોધતા સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખ નિલ રાવ અને સાગબારા તાલુકા પ્રમુખ રોહન વસાવાને પણ આડેહાથ લીધા.. નીલ રાવ કોઈકના ઈશારે કામ કરતા હોવાનો અને રોહન વસાવા પક્ષની એકપણ બેઠકમાં હાજર ન રહેતા હોવાનો આરોપ લગાવ્યો. મનસુખ વસાવા તો ત્યા સુધી બોલ્યા કે પક્ષમાં કોઈ આડોઅવળો જતો હોય તો બધાએ સાથે મળીને તેને ધક્કો મારીને પક્ષમાંથી જ કાઢી મુકવો જોઈએ..

















