શોધખોળ કરો
અયોધ્યા વિવાદઃ આજથી થશે રોજ સુનાવણી, હિન્દુ-મુસ્લિમ બન્ને પક્ષો વચ્ચે અનુવાદનું કામ પૂર્ણ
1/8

કોર્ટે હિન્દુ પક્ષને કહ્યું કે તે ગીતા, રામચરિતમાનસ, પુરાણ, ઉપનિષદ જેવા ગ્રંથોના જે ભાગોને કોર્ટમાં મુકવા માગે છે, તેનું અંગ્રેજી અનુવાદ મુસ્લિમ પક્ષને આપે. બન્ને પક્ષોના વકીલોએ એબીપી ન્યૂઝને જણાવ્યું કે, ડૉક્યૂમેન્ટ્સના અનુવાદ અને લેવડ દેવડનું કામ પુરુ થઇ ચૂક્યું છે.
2/8

8 ફેબ્રુઆરીએ થયેલી છેલ્લી સુનાવણીમાં પણ એવું જ માનવામાં આવી રહ્યું હતું કે, સતત સુનાવણીની તારીખ નક્કી થઇ શકે છે પણ તે દિવસે સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે તે પુસ્તકોનું અનુવાદ માંગ્યું હતું જેના અંશ હિન્દુ પક્ષ પોતાની દલીલો દરમિયાન કરી રહ્યો હતો. આ માંગના કારણે ચીફ જસ્ટીસ દીપક મિક્ષા, જસ્ટીસ અશોક ભૂષણ અને એસ અબ્દુલ નજીરની બેન્ચે સુનાવણીને ટાળી દીધી હતી.
Published at : 14 Mar 2018 09:34 AM (IST)
Tags :
Supreme CourtView More























