આર્ટિકલ 35એને લઇને 14 મે 1954ના રોજ તત્કાલિન રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે આદેશ આપ્યો હતો. આ આદેશ મારફતે ભારતના બંધારણમાં એક નવી આર્ટિકલ 35એ ઉમેરવામાં આવી હતી. અનુચ્છેદ 35એ કલમ 370નો હિસ્સો છે. આ આર્ટિકલને કારણે બીજા રાજ્યોના કોઇ પણ નાગરિક જમ્મુ કાશ્મીરમાં સંપત્તિ ખરીદી શકતા નથી અને ત્યાં સ્થાનિક નાગરિક પણ બની શકતા નથી.
2/4
આર્ટિકલ 35એ જમ્મુ કાશ્મીરને રાજ્યના રૂપમાં વિશેષ અધિકારો આપે છે. જે પ્રમાણે આપવામાં આવેલા અધિકારો સ્થાનિક નિવાસીઓ સાથે જોડાયેલા છે. જેનો અર્થ એ થયો કે રાજ્ય સરકારને એ અધિકાર છે કે તે આઝાદી સમયે બીજા સ્થાન પરથી આવેલા શરણાર્થીઓ અને અન્ય ભારતીય નાગરિકોને જમ્મુ કાશ્મીરમાં કોઇ પ્રકારની સુવિધા આપે અથવા તો ના આપે.
3/4
દિલ્હી સ્થિત એનજીઓ "We the Citizens" અને વેસ્ટ પાકિસ્તાન રિફ્યૂજી એક્શન કમિટીએ સુપ્રીમ કોર્ટમાં આ અંગેની અરજી દાખલ કરી છે. તેમની માંગ છે કે રાજ્યને વિશેષ નાગરિકતા કાયદા - 35A અનુસાર દરજ્જો આપવામાં આવે.
4/4
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારા બંધારણના અનુચ્છેદ 35A પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. આ પહેલા 6 ઓગસ્ટે આ મામલે સુનાવણી થવાની હતી પણ જજોની ખંડપીઠમાં એક જજના ના હોવાના કારણે સુનાવણી ટળી હતી. ચીફ જસ્ટિસે કહ્યું કે આ મામલો બંધારણીય પીઠને મોકલવા પર વિચાર ત્રણ જજોની બેન્ચ જ કરી શકે છે. સુનાવણીને લઇને અલગતાવાદીઓએ ઘાટીમાં બે દિવસનું બંધનું એલાન કર્યું છે.