યોગી સરકારને દલિત વિરોધી ગણાવી હતી કે 'સબકા સાથ- સબકા વિકાસનો નારો આપનારી સરકારમાં જિલ્લાના મોટાભાગના ચોકી પર સામાન્ય વર્ગના લોકોની તૈનાતી છે.
2/6
નોંધનીય છે કે, આ પહેલા પણ મંત્રી અનેક જગ્યાએ વિવાદોમાં આવી ચૂક્યા છે. 28 એપ્રિલે રાજભરે વારાણસીમાં કહ્યું હતું કે, સૌથી વધુ દારુ યાદવ અને રાજપૂત પીવે છે અને બદનામ રાજભર સમાજ થાય છે.
3/6
"મે ગીતા-રામાયણ વધુ નથી વાંચી, પણ સાંભળ્યું છે કે જેવી કમાણી થાય છે, એવી જ જતી પણ રહે છે. એટલે જેવું અન્ન ખાશો તેવો એડકાર આવશે. જો સરકારના ખજાનામાં શરબની આવકના પૈસા જશે તો શું રાજ્ય ક્યારેય પણ સુખ-શાંતિ અનુભવશે?"
4/6
મંત્રી રાજભરે કહ્યું કે, "દારુ સમાજ માટે કેન્સરથી પણ ભયાનક છે. આના કારણે ગરીબ વધુ ગરીબ થતો જાય છે. મહિલાઓ પોતાના બાપ, પતિ અને પુત્રને પછી ખોઇ બેસે છે. આ સામાજિક ઝેરને જડમૂળમાંથી કાઢીને ફેંકી દેવા ભારતીય જનતા પાર્ટીએ સંકલ્પ લીધો છે કે પૂર્ણ દારુબંધી કરવી જોઇએ. જો યુપી સરકારમાં દારુબંધી ના થઇ તો અમે કોઇપણ કુરબાની આપવા તૈયારી છીએ."
5/6
મંત્રી ઓમ પ્રકાશ રાજભરે પોતાના કાર્યકરોને કહ્યું કે, બીજા કોઇ પક્ષની રેલીમાં જશો તો મારો શ્રાપ લાગશે, પીળીયો થઇ જશે અને પીળીયો ત્યારે મટશે જ્યારે તમે રાજભરની દવા લેશો.
6/6
નવી દિલ્હીઃ બીજેપીના નેતા અને મંત્રીઓના દિવસે દિવસે બફાટ વાળા નિવેદનો સામે આવી રહ્યાં છે. હવે વધુ એક મંત્રીએ જાહેરમાં બફાટ કર્યો છે. યોગી સરકારના પછાલ કલ્યાણ વિભાગના મંત્રી રાજભરે મહિલા અધિકાર મહારેલીને સંબોધતા આ અજુગતુ નિવેદન આપ્યું હતું.