શોધખોળ કરો
દેશનાં બીજાં રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન ને કાશ્મીરમાં રાજ્યપાલ શાસન કેમ? કાશ્મીરમાં ક્યારે લદાય છે રાષ્ટ્રપતિ શાસન?

1/5

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં બીજેપીએ પીડીપી સાથે ગઠબંધન તોડી ને સરકારમાંથી પોતાનું સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી છે. આ સાથે જ રાષ્ટ્રપતિએ રાજ્યમાં રાજ્યપાલ શાસન લગાવવાની મંજૂરી આપી દીધી છે.
2/5

આખરે જમ્મુ-કાશ્મીરમાં શું છે તો ત્યાં રાજ્યપાલ શાસન કેમ લાગુ કરાય છે? આ સ્વાભાવિક સવાલ માટે તેનું કારણ જાણીએ તો જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો મળેલો છે.
3/5

ભારતના બંધારણમાં તેવી પણ કલમ છે કે જે હેઠળ છ મહિના બાદ કાશ્મીરમાં રાજ્યપાલ શાસનને વધારી પણ શકાય છે. બંધારણની કલમ 356 કહે છે કે, જો જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લગાવ્યાના છ મહિનાની અંદર ત્યાં કોઇ સરકાર ન બને કે બંધારણીય રીતે વ્યવસ્થા શરૂ ન થાય તો આ કલમ હેઠળ રાજ્યપાલ શાસનની સમયમર્યાદા વધારી શકાય છે. પરંતુ આ સમયે તે રાષ્ટ્રપતિ શાસનમાં પરિવર્તિત થઈ જાઈ છે.
4/5

બંધારણની કલમ 92માં પણ આ વાતનો ઉલ્લેખ છે કે, જમ્મુ અને કાશ્મીરમાં જો રાજકીય સંકટ આવે અથવા બંધારણ અનુરૂપ ચાલી રહેલું તંત્ર ફેલ થઈ જાય તો આ સ્થિતિમાં રાષ્ટ્રપતિની મંજૂરી બાદ જમ્મુ અને કાશ્મીરમાં છ મહિના સુધી રાજ્યપાલ શાસન લગાવી શકાય છે.
5/5

નોંધનીય છે કે, દશમાં કોઈપણ રાજ્યમાં સરકાર ભંગ થવા પર રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે પરંતુ જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગુ કરવામાં આવ્યું છે.
Published at : 20 Jun 2018 10:52 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રાઇમ
અમદાવાદ
અમદાવાદ
બિઝનેસ
Advertisement
