શોધખોળ કરો
હોમ લોન લેનારને વધુ એક રાહત આપશે સરકાર, જાણો ટેક્સમાં કેટલી મળશે છૂટ
1/5

સુત્રોનુ કહેવુ છે કે, સરકારની અગ્રતામાં હાઉસીંગ ક્ષેત્ર છે. આનાથી દરેકને ઘર જેવી યોજનાને પ્રોત્સાહન મળશે અને અર્થતંત્ર ઉપર પણ તેની સાનુકુળ અસર થશે. છેલ્લા કેટલાક વર્ષોથી રિયલ એસ્ટેટમાં મંદી છે. તેને દુર કરવા માટે આ પ્રકારની રાહતો જરૂરી છે.
2/5

બજેટ સમીતીએ હાઉસીંગ સેકટરના લોકો પાસેથી પ્રતિક્રિયા લેવાનુ પણ શરૂ કર્યુ છે. પીએમ મોદીએ સસ્તી હાઉસીંગ લોન આપવા ઉપર ભાર મુકયો છે અને આ બાબત તેનો એક હિસ્સો છે. નવા વર્ષની પુર્વ સંધ્યાએ પીએમ મોદીએ નાની હાઉસીંગ લોનના વ્યાજદરોમાં રાહતોની જાહેરાત કરી હતી. કર નિષ્ણાંતોનુ માનવુ છે કે, ૮મી નવેમ્બરના રોજ નોટબંધી બાદ બેંકો પાસે મોટા પ્રમાણમાં રોકડ આવી છે તેથી હાઉસીંગ લોન પર રાહત મળવાની સંભાવના વધી ગઇ છે.
Published at : 04 Jan 2017 11:52 AM (IST)
Tags :
Home LoanView More























