શોધખોળ કરો

Health Benefits: શિયાળામાં અચૂક કરો આ જ્યુસનું સેવન, જાણો અદભૂત ફાયદા

 Health Benefits: શિયાળામાં એવા અનેક ફળો અને શાક આવે છે જેનું સેવન આપને આખું વર્ષ હેલ્ઘી રાખે છે. આવા જ જાદુઇ ગુણો ધરાવતું આ પીણું છે, જેનું સેવન એવરયંગ અને એવર હેલ્ધી રાખશે

 Health Benefits:આમળા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. વિટામિન સી જેવા અનેક પોષક તત્વોથી ભરપૂર આમળાનો રસથી અનેક  ફાયદા થાય છે.  રોજ ખાલી પેટ તેનું સેવન કરવાથી તમને ઘણી સમસ્યાઓથી રાહત મળે છે.

વિટામિન સીથી ભરપૂર આમળા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ઔષધીય ગુણોથી ભરપૂર આમળામાં વિટામિન સી, આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ અને એન્ટીઓક્સીડેન્ટ જેવા ઘણા પોષક તત્વો હોય છે. આ તત્વોની મદદથી તે આપણા સ્વાસ્થ્યને ઘણો ફાયદો કરે છે. પાચન તંત્ર માટે ફાયદાકારક, આમળા ઘણા ગંભીર રોગોને દૂર કરવામાં પણ ખૂબ મદદરૂપ છે. આવી સ્થિતિમાં જો તમે રોજ સવારે ખાલી પેટ આમળાના જ્યુસનું સેવન કરો છો તો તેનાથી તમને ઘણા ફાયદા થાય છે. તો ચાલો જાણીએ ખાલી પેટ આમળાનો રસ પીવાના ફાયદાઓ વિશે

બોડી ડિટોક્સ કરવામાં સહાયક

જો તમે નિયમિતપણે રોજ ખાલી પેટ આમળાનો રસ પીતા હોવ તો તે તમારા શરીરને ડિટોક્સ કરે છે. આમળાનો રસ શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં ખૂબ જ મદદરૂપ છે. ઉપરાંત, તેનો ઉપયોગ યકૃતની કામગીરીમાં સુધારો કરે છે. જો તમે કિડની સ્ટોન અને યુરિન ઈન્ફેક્શનની સમસ્યાથી પરેશાન છો તોઆંબળાનો રસ પીવો ફાયદાકારક રહેશે.

વજન ઘટાડવામાં કારગર

સવારે ખાલી પેટ આમળાનો રસ પીવાથી પણ તમને વજન ઘટાડવામાં ઘણી મદદ મળે છે. પાચન તંત્રને સુધારવાની સાથે આમળામાં હાજર ફાઈબર તમારી ભૂખને પણ નિયંત્રણમાં રાખે છે. આ સિવાય રોજ સવારે ખાલી પેટ આમળાનો રસ પીવાથી પણ મેટાબોલિઝમ સુધરે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

આંખો માટે ફાયદાકારક

વિટામિન સીથી ભરપૂર આમળાના ઘણા ફાયદા છે, પરંતુ તે તમારી આંખો માટે પણ ખૂબ ફાયદાકારક છે. આવી સ્થિતિમાં રોજ આમળાનો રસ પીવાથી આંખોની રોશની વધારવામાં મદદ મળે છે. તેમાં હાજર વિટામિન A, C અને એન્ટીઓક્સીડેન્ટ તમારી આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનો જ્યુસ રોજ પીવાથી મોતિયા અને આંખમાં બળતરા જેવી સમસ્યાઓથી પણ છુટકારો મળે છે.

બ્લડ સુગરને કરે છે નિયંત્રિત

જો તમે ડાયાબિટીસની સમસ્યાથી ઝઝૂમી રહ્યાં છો, તો તેના માટે આંબળાનો  રસ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. રોજ સવારે ખાલી પેટ આમળાનો રસ પીવાથી લોહીમાં શુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને ફ્રી રેડિકલ સામે લડવામાં પણ તે ખૂબ જ મદદગાર છે. તેને નિયમિત રીતે પીવાથી બ્લડ સુગરમાં અચાનક વધારો થવાની સમસ્યાથી પણ છુટકારો મળે છે.

પાચનતંત્રને કરે છે મજબૂત

આમળાના જ્યુસનું સેવન આપણા પાચન તંત્ર માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ફાઈબર ભરપૂર માત્રામાં  છે, જે પાચન તંત્રને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આવી સ્થિતિમાં રોજ સવારે ખાલી પેટ આમળાનો રસ પીવાથી કબજિયાત, અપચો અને ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમની સમસ્યાઓથી રાહત મળે છે.

Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓને માત્ર સૂચનો તરીકે જ લો, abp અસ્મિતા તેની  પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનનો અમલ કરતા પહેલા, કૃપા કરીને ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક  લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Advertisement

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Epstein Files Release: આખરે કેટલી સંપત્તિનો માલિક હતો જેફરી એપ્સટિન? જેમની ફાઈલોએ અમેરિકાને હચમચાવી નાખ્યું
Epstein Files Release: આખરે કેટલી સંપત્તિનો માલિક હતો જેફરી એપ્સટિન? જેમની ફાઈલોએ અમેરિકાને હચમચાવી નાખ્યું
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
Embed widget