શોધખોળ કરો

રોજ બ્રશ ન કરવાની આદત હૃદયને કરી શકે છે ફેઈલ, વાંચો આ ચોંકાવનારો રિપોર્ટ

નવા અભ્યાસનો દાવો: મોઢાની સફાઈ યોગ્ય ન હોય તો હાર્ટ એટેક પછી રિકવરીમાં ખતરો વધી શકે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ખરાબ મોઢાની સફાઈ હાર્ટ એટેક પછી રિકવરીને મુશ્કેલ બનાવે છે.
  • મોઢાના બેક્ટેરિયા હૃદયને સાજા થવાની પ્રક્રિયામાં અવરોધ પેદા કરે છે.
  • ગિંગિપેન પ્રોટીન શરીરની પેશીઓને નુકસાન પહોંચાડી ઇમ્યુનિટીને ચકમો આપે છે.
  • ઓરલ હેલ્થ અને હૃદયના સ્વાસ્થ્ય વચ્ચે સીધો સંબંધ જોવા મળ્યો છે.

Heart Attack Recovery: મોટાભાગના લોકો એવું માને છે કે દરરોજ દાંત સાફ કરવા એટલે ફક્ત દાંતને ચમકાવવા અને મોઢાની દુર્ગંધ દૂર કરવી. પરંતુ, જાપાનમાં થયેલા એક નવા અભ્યાસમાં ખૂબ જ ડરામણી માહિતી સામે આવી છે. આ રિસર્ચ મુજબ, જો તમે તમારા દાંત અને મોઢાની યોગ્ય સફાઈ નથી કરતા, તો હાર્ટ એટેક આવ્યા પછી હૃદયની રિકવરીમાં મોટું જોખમ ઊભું થઈ શકે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મોઢામાં જોવા મળતા અમુક સામાન્ય બેક્ટેરિયા હૃદયને સાજા થવાની પ્રક્રિયામાં સીધી રુકાવટ પેદા કરે છે, જેના કારણે હાર્ટ એટેક પછી દર્દી માટે સ્થિતિ પહેલા કરતા પણ વધારે જટિલ અને જીવલેણ બની શકે છે.

હાર્ટ એટેક પછી રિકવરી કેમ મુશ્કેલ બને છે?

જાપાનની 'ટોક્યો મેડિકલ એન્ડ ડેન્ટલ યુનિવર્સિટી'ના સંશોધકોએ ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ઓરલ સાયન્સમાં આ ચોંકાવનારો રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. તેમાં દાંત અને હૃદય વચ્ચેનું એક આશ્ચર્યજનક કનેક્શન જોવા મળ્યું છે. મોઢાની અંદર ખરાબ ઓરલ હેલ્થને કારણે જે બેક્ટેરિયા પેદા થાય છે, તે સીધા હૃદયના હીલિંગ પર અસર કરે છે.

શરીર પોતાની રીતે હૃદયને કેવી રીતે ઠીક કરે છે?

જ્યારે કોઈને હાર્ટ એટેક આવે છે, ત્યારે શરીર પોતાની જાતે જ ડેમેજ થયેલા ભાગને રિપેર કરવાનો પ્રયાસ કરે છે. આ પ્રક્રિયાને વિજ્ઞાનની ભાષામાં 'ઓટોફેજી' (Autophagy) કહેવાય છે. આ પ્રક્રિયામાં ખરાબ થઈ ગયેલા કોષો સાફ થાય છે, જેથી હૃદયને ફરીથી સ્વસ્થ થવામાં મદદ મળે. પરંતુ, મોઢામાં જોવા મળતો 'પોર્ફિરોમોનાસ ગિંગિવાલિસ' નામનો એક બેક્ટેરિયા આ રિપેરિંગના કામમાં મોટો અડચણરૂપ બને છે. આ જ બેક્ટેરિયા પેઢાના રોગો માટે પણ જવાબદાર હોય છે. જો સમયસર સારવાર ન થાય તો પેઢામાં સોજો આવે છે, લોહી નીકળે છે અને સમય જતાં દાંત પણ પડી શકે છે.

ગિંગિપેન (Gingipain) શું છે અને તે શું નુકસાન કરે છે?

વૈજ્ઞાનિકોને પહેલાથી જ ખબર હતી કે આ બેક્ટેરિયા મોઢામાંથી શરીરના અન્ય ભાગોમાં ફેલાઈ શકે છે, પણ હૃદય પર તેની અસર કેવી રીતે થાય છે તે અત્યાર સુધી અસ્પષ્ટ હતું. આ બેક્ટેરિયા 'ગિંગિપેન' નામનું એક ખાસ પ્રોટીન છોડે છે. આ ગિંગિપેન એક એવો પદાર્થ છે જે શરીરના ટિશ્યૂ (પેશીઓ) ને નુકસાન પહોંચાડે છે અને આપણી ઇમ્યુનિટી સિસ્ટમને પણ ચકમો આપી દે છે. સંશોધકોએ જ્યારે હૃદયના સેલ્સ પર તેની અસર તપાસી તો પરિણામો આશ્ચર્યજનક હતા.

શું શેરડીનો રસ ખરેખર હેલ્ધી છે? જાણો કઈ બીમારીઓમાં તે ઝેર સમાન સાબિત થઈ શકે છે

રિઝલ્ટમાં શું સામે આવ્યું?

વૈજ્ઞાનિકોએ એક એવો બેક્ટેરિયા બનાવ્યો જેમાં ગિંગિપેન નહોતું, અને તેની સરખામણી સામાન્ય બેક્ટેરિયા (જેમાં ગિંગિપેન હોય છે) સાથે કરી. રિઝલ્ટ એકદમ સ્પષ્ટ હતું - ગિંગિપેન વિનાના બેક્ટેરિયાના સંપર્કમાં આવેલા સેલ્સ સ્વસ્થ રહ્યા, જ્યારે સામાન્ય બેક્ટેરિયાના સંપર્કમાં આવેલા સેલ્સને ભારે નુકસાન થયું. ઉંદરો પર કરાયેલા પ્રયોગમાં પણ જોવા મળ્યું કે સામાન્ય બેક્ટેરિયાના કારણે હૃદયમાં કચરો જમા થવા લાગે છે અને હાર્ટનું રિપેરિંગ કામ સાવ ધીમું પડી જાય છે. ટૂંકમાં કહીએ તો, આ બેક્ટેરિયા હૃદયને ઝડપથી સાજું થવા દેતો નથી અને ડેમેજ વધારી દે છે.

શું શાકાહારી આહાર લેવાથી કેન્સર જલ્દી મટે છે? જાણો આ અંગે ડૉક્ટર્સ અને નવો રિસર્ચ શું કહે છે

ડિસ્ક્લેમર: આ માહિતી રિસર્ચ સ્ટડીઝ અને નિષ્ણાતોના અભિપ્રાય પર આધારિત છે. આને કોઈ તબીબી સલાહનો વિકલ્પ ન સમજવો. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ નવી આદત કે સારવાર અપનાવતા પહેલા તમારા ડોક્ટર કે નિષ્ણાતની સલાહ ચોક્કસ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

Frequently Asked Questions

શું મોઢાની સ્વચ્છતા હાર્ટ એટેક પછી રિકવરીને અસર કરી શકે છે?

હા, મોઢાની ખરાબ સ્વચ્છતા હાર્ટ એટેક પછી હૃદયની રિકવરીમાં અવરોધ ઊભો કરી શકે છે. અમુક બેક્ટેરિયા હૃદયના સાજા થવાની પ્રક્રિયામાં દખલ કરે છે.

હૃદયને સાજા થવામાં કયો બેક્ટેરિયા અડચણરૂપ બને છે?

'પોર્ફિરોમોનાસ ગિંગિવાલિસ' નામનો બેક્ટેરિયા હૃદયને સાજા થવાની પ્રક્રિયામાં અડચણ ઊભી કરે છે. આ બેક્ટેરિયા પેઢાના રોગો માટે પણ જવાબદાર છે.

ગિંગિપેન શું છે અને તે હૃદયને કેવી રીતે નુકસાન પહોંચાડે છે?

ગિંગિપેન એ બેક્ટેરિયા દ્વારા છોડવામાં આવતું એક પ્રોટીન છે. તે શરીરના ટિશ્યૂને નુકસાન પહોંચાડે છે અને હૃદયના કોષોને નુકસાન કરીને રિકવરી ધીમી પાડે છે.

શું ઉંદરો પરના પ્રયોગોએ મોઢાના બેક્ટેરિયાની હૃદય પર અસર દર્શાવી છે?

હા, ઉંદરો પરના પ્રયોગો દર્શાવે છે કે સામાન્ય બેક્ટેરિયા હૃદયમાં કચરો જમા કરે છે અને હાર્ટના રિપેરિંગ કામને ધીમું પાડે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Male health: 35 પાર કરી ચૂકેલા યુવકે ફરજિયાત કરાવવા જોઇએ આ 6 ટેસ્ટ, જાણો કઇ બીમારીનો રહે છે ખતરો
Male health: 35 પાર કરી ચૂકેલા યુવકે ફરજિયાત કરાવવા જોઇએ આ 6 ટેસ્ટ, જાણો કઇ બીમારીનો રહે છે ખતરો
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
Womens Health: મહિલાઓએ સવારનો નાસ્તો શા માટે ન છોડવો જોઈએ? ડોક્ટરે જણાવ્યા 5 મોટા ગેરફાયદા
Womens Health: મહિલાઓએ સવારનો નાસ્તો શા માટે ન છોડવો જોઈએ? ડોક્ટરે જણાવ્યા 5 મોટા ગેરફાયદા
Health Tips: ચોમાસામાં પેટને લગતી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ
Health Tips: ચોમાસામાં પેટને લગતી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
કચ્છમાં ભારે વરસાદની આગાહી, 6 તાલુકામાં શાળા-કોલેજોમાં રજા જાહેર, બાઈક પર જતો પરિવાર નદીમાં તણાયો
કચ્છમાં ભારે વરસાદની આગાહી, 6 તાલુકામાં શાળા-કોલેજોમાં રજા જાહેર, બાઈક પર જતો પરિવાર નદીમાં તણાયો
Embed widget