શોધખોળ કરો

Health Alert : ચાંદીના વરખમાં કે અખબારમાં ફૂડ પેક કરશો તો આ જીવલેણ બીમારીનું વધશે જોખમ

Health Alert :ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર ન્યૂઝપેપરમાં લપેટીને ખાવાથી અનેક ગંભીર બીમારીઓ થઈ શકે છે.અખબારો છાપવા માટે વપરાતી શાહીમાં ખતરનાક કેમિકલ હોય છે. ડાઇ એન આઇસોબ્યુટાઇટ જેવા રસાયણો હાજર છે.

Health Alert :ભારતીય ઘરોમાં અખબાર વાંચ કરતા  ફૂડ પેક કરવામાં વધુ યુઝ થાય છે.  સામાન્ય રીતે, આપણે બધાએ એક યા બીજા રીતે ફૂડને અખબારમાં લપેટીએ છીએ.  ઘણીવાર સ્ટ્રીટ ફૂડની દુકાનો પરના દુકાનદારો પેકિંગ માટે અખબારનો ઉપયોગ પણ કરે છે. ઘણા લોકો રોટલી પરાઠાને પણ ચાંદીના વરખ કે  અખબારમાં  લપેટે છે  પરંતુ શું તમે જાણો છો કે તમારી આ નાનકડી આદત તમને ખતરનાક બીમારીઓનો ભોગ બનાવી શકે છે.  ચાંદીના વરખમાં ખાવાનું પેક કરવું પણ યોગ્ય નથી. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોના મતે, ખોરાકને અખબારમાં લપેટીને અથવા ચાંદીના વરખમાં લપેટીને ન ખાવું જોઈએ, આ બંનેમાં આમાં ખતરનાક રસાયણો હોય છે જે શરીરની અંદર જઈને કેન્સર જેવી બીમારીઓ ફેલાવે છે. ચાલો જાણીએ તેના ઉપયોગથી થતા નુકસાન વિશે.

અખબારમાં ખોરાક લપેટીને કેવી રીતે નુકસાન થાય છે?

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર ન્યૂઝપેપરમાં લપેટીને ખાવાથી અનેક ગંભીર બીમારીઓ થઈ શકે છે.અખબારો છાપવા માટે વપરાતી શાહીમાં ખતરનાક કેમિકલ હોય છે. ડાઇ  એન આઇસોબ્યુટાઇટ  જેવા રસાયણો હાજર છે. અખબારમાં ગરમ ખોરાક રાખવાથી, આ શાહી ઘણી વખત ખોરાક સાથે ચોંટી જાય છે. જેના કારણે સ્વાસ્થ્યને નુકસાન થાય છે. જ્યારે શરીરમાં આ રસાયણોનું પ્રમાણ વધુ હોય ત્યારે કેન્સરનું જોખમ વધી જાય છે. અખબારમાં લપેટીને ખાવાથી મોઢાના કેન્સરથી લઈને ફેફસાના કેન્સર થવાનું જોખમ રહેલું છે.

અખબારમાં લપેટીને ખાવાથી પાચનતંત્રને પણ નુકસાન થાય છે. તેની શાહીમાં રહેલા કેમિકલ્સ પાચન સંબંધી સમસ્યાઓનું કારણ બની શકે છે. તેનાથી પેટમાં ઈન્ફેક્શન થઈ શકે છે. આ પેપરમાં તૈલી વસ્તુઓ ખાવાથી લીવર કેન્સરનું જોખમ વધી શકે છે.કેટલાક નિષ્ણાતોના મતે આના કારણે આંખોની રોશની ગુમાવવાનો ભય પણ છે. આ આદત ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને નુકસાન પહોંચાડે છે.

એલ્યુમિનિયમ ફોઇલમાં ખોરાક ખાવાના ગેરફાયદા

ઘણા લોકો માને છે કે અખબારની જગ્યાએ એલ્યુમિનિયમ ફોઇલમાં ખોરાક રાખીને ખાવાનું યોગ્ય છે, દરરોજ ફોઇલ પેપરનો ઉપયોગ પણ ખતરનાક બની શકે છે. જ્યારે ખોરાક ગરમ રહે છે, ત્યારે લોકો તરત જ તેને ફાઇલ પેપરમાં પેક કરે છે, જેના કારણે ફોઇલ પેપર ઓગળવા લાગે છે. અને તે ખોરાકમાં ભળી જાય છે અને તે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આ કારણે તમને લીવર સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. તમને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે અને તમારી રોગપ્રતિકારક શક્તિ પણ પ્રભાવિત થાય છે.  કેટલાક લોકોને  આવા ખોરાકથી અલ્ઝાઈમરની ફરિયાદ પણ થાય છે, લોકો વસ્તુઓ ભૂલી જવા લાગે છે.

WHO ના રિપોર્ટ અનુસાર, રાંધેલા ખોરાકને ફોઇલમાં રાખવાથી એલ્યુમિનિયમ ફોઇલના કેમિકલ ખઓરાકમાં શોષય છે. જેના કારણે આવો ખારોક ખાવાથી  મગજના કોષોનો વિકાસ અટકે છે, જેના કારણે ભૂલી જવા જેવી સમસ્યા થઈ શકે છે.શરીરમાં એલ્યુમિનિયમની માત્રા વધવાથી હાડકાં નબળા પડવા જેવી ફરિયાદ પણ થઈ શકે છે.  ખાટા ફળો અથવા ખાદ્ય પદાર્થોને ફાઈલમાં રાખવાથી તેનું રાસાયણિક સંતુલન બગડે છે અને વસ્તુઓ ઝેરી બની શકે છે.

વરખનો ઉપયોગ કેવી રીતે કરવો

ડોક્ટરોના મતે જો ફોઈલની ગુણવત્તા સારી ન હોય તો તેનાથી વધુ નુકસાન થઈ શકે છે. હાનિકારક રસાયણો વધુ સમસ્યાઓનું કારણ બની શકે છે, તેથી જ્યારે પણ તમે ફોઇલનો ઉપયોગ કરો છો, ત્યારે સારી ગુણવત્તાનો ઉપયોગ કરો. અને તેમાં  ગરમ ફૂડ કયારેય પેક ન કરો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: અમરેલીના મહાભારતમાં કૌરવ કોણ, પાંડવ કોણ?Hun To Bolish : હું તો બોલીશ : આ લસણ મારી નાખશેSurat Bogus Doctors: સુરતની ગોડાદરા પોલીસે સાત મુન્નાભાઈની કરી ધરપકડSurat news: સુરતના કીમમાં રખડતા ઢોરનો ત્રાસ, ઘર પાસે રમતા બાળકને મારી ટક્કર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો
Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો
Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો
Health Tips: માત્ર ચણાનો લોટ જ નહીં પરંતુ ચોખાનો લોટ પણ તમારી ત્વચાને બનાવશે ચમકદાર,આ રીતે કરો ઉપયોગ
Health Tips: માત્ર ચણાનો લોટ જ નહીં પરંતુ ચોખાનો લોટ પણ તમારી ત્વચાને બનાવશે ચમકદાર,આ રીતે કરો ઉપયોગ
Embed widget