શોધખોળ કરો

Mosquito Coil Health Risk: મચ્છર મારતી કોઇલનો ધુમાડો સિગરેટથી પણ વધારે ખતરનાક ! આ ગંભીર બીમારીઓનું બને છે કારણ

Health: શું તમે જાણો છો કે મચ્છર ભગાડતી કોઇલ તમારા જીવનને નરક બનાવી શકે છે અને અનેક બીમારીઓનું કારણ બની શકે છે.

Mosquito Coil Health Risk: ઉનાળો આવતાની સાથે જ મચ્છરો પણ ઘરોમાં ઘૂસી જાય છે. આપણે ભલે બારી-બારણાં બંધ રાખીએ, પરંતુ તેમ છતાં મચ્છર ઘરમાં ઘૂસી જાય છે અને પછી કરડે છે. મચ્છરો માણસનું જીવન મુશ્કેલ બનાવે છે. જ્યારે કેટલાક લોકો તેનાથી બચવા માટે જંતુનાશકોનો ઉપયોગ કરે છે, તો કેટલાક લોકો કોઇલ સળગાવીને તેનાથી છુટકારો મેળવવાનો પ્રયાસ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે આ કોઇલ તમારા જીવનને નરક બનાવી શકે છે અને અનેક બીમારીઓનું કારણ બની શકે છે.

ખરેખર, ઘણા લોકો ઘરની અંદર કોઇલ સળગતા રાખે છે. જ્યારે કોઇલ સળગાવવામાં આવે ત્યારે જે ધુમાડો નીકળે છે તે ઓરડાના પ્રદૂષણના સ્તરને વધારી શકે છે અને ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ અથવા COPDનું કારણ બની શકે છે. એક અભ્યાસ મુજબ, જો કોઈ વ્યક્તિ કોઈલમાંથી ધુમાડો શ્વાસમાં લે છે, તો તે 100 સિગારેટ પીવા બરાબર હોઈ શકે છે. એટલું જ નહીં, પૂજામાં ઉપયોગમાં લેવાતી અગરબત્તીઓનો ધુમાડો 50 સિગારેટ પીવા બરાબર છે.

બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલા કેટલાક ડેટા અનુસાર, મુંબઈમાં દરરોજ ઓછામાં ઓછા 6 લોકો ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ અથવા સીઓપીડીને કારણે જીવ ગુમાવે છે, જે ફેફસાંનો બળતરા રોગ છે. આ સ્થિતિ માત્ર મુંબઈની જ નથી, પરંતુ ભારતના ઘણા ભાગોમાં ઘણા લોકો આ રોગથી પીડિત છે. બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસનો અંદાજ છે કે વર્ષ 2019માં ભારતમાં પ્રતિ 1,00,000 વસ્તીએ 98 ટકા લોકોએ COPDને કારણે જીવ ગુમાવ્યો હતો.

કોઇલ કેવી રીતે કામ કરે છે?

જૂની કોઇલ અને લાકડીઓ અગાઉ પાયરેથ્રમ પેસ્ટમાંથી તૈયાર કરવામાં આવતી હતી. જ્યારે પાયરેથ્રોઇડ જંતુનાશકો આજના મચ્છર કોઇલમાં નાખવામાં આવે છે અથવા તે સિટ્રોનેલા જેવા છોડમાંથી તૈયાર કરવામાં આવે છે. સિડની યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર, એવા કોઈ પુરાવા નથી કે જંતુનાશક ધરાવતી મચ્છર કોઇલ સળગાવવાથી મેલેરિયા જેવા રોગોથી બચી શકાય છે અથવા પોતાને મચ્છરોથી બચાવી શકાય છે.

આરોગ્ય નિષ્ણાતો ભલામણ કરે છે કે તમે તમારી જાતને મચ્છરોથી બચાવવા માટે આ પગલાં અપનાવી શકો છો: -

  1. ફુલ સ્લીવ શર્ટ અને લાંબી પેન્ટ પહેરો.
  2. મચ્છરદાની સાથે સૂઈ જાઓ.
  3. મચ્છરોની ઉત્પત્તિ રોકવા માટે પાણી ભરાયેલું ન રાખો.
  4. તમારા ઘરની આસપાસ સ્વચ્છતા રાખો.
  5. સાંજે દરવાજા અને બારીઓ બંધ રાખો.
  6. મચ્છરોને જન્મતા અટકાવવા માટે, સમયાંતરે ફોગિંગ કરો.

Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, દાવા અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
બાળકોનું WhatsApp હવે માતાપિતાના કંટ્રોલમાં! આ નવા ફીચર્સથી બદલાઈ જશે નિયમો
બાળકોનું WhatsApp હવે માતાપિતાના કંટ્રોલમાં! આ નવા ફીચર્સથી બદલાઈ જશે નિયમો
Railway Jobs: રેલવેમાં 44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી
Railway Jobs: રેલવેમાં 44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી
Embed widget