શોધખોળ કરો

વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 

અત્યાર સુધીમાં તમે ચાર બ્લડ ગ્રુપ વિશે જ સાંભળ્યું  હશે. આ છે- A, B, AB અને O. આ બ્લડ ગ્રુપ નેગેટિવ અથવા પોઝિટિવ  હોઈ શકે છે.

અત્યાર સુધીમાં તમે ચાર બ્લડ ગ્રુપ વિશે જ સાંભળ્યું  હશે. આ છે- A, B, AB અને O. આ બ્લડ ગ્રુપ નેગેટિવ અથવા પોઝિટિવ  હોઈ શકે છે. હવે વૈજ્ઞાનિકોએ નવા બ્લડ ગ્રુપની ઓળખ કરીને 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલ્યું છે. વૈજ્ઞાનિકોએ આ બ્લડ ગ્રુપનું નામ 'MAL' રાખ્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ બ્લડ ગ્રુપની ઓળખ કરીને એવા દર્દીઓને ઓળખી શકાશે જેમને આ દુર્લભ બ્લડ ગ્રુપની ઉણપ છે.

સામે આવેલા અભ્યાસ મુજબ, NHS બ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ (બ્રિસ્ટલ), ઇન્ટરનેશનલ બ્લડ ગ્રુપ રેફરન્સ લેબોરેટરી (IBGRL) અને યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટલના વૈજ્ઞાનિકોએ આ દુર્લભ બ્લડ ગ્રુપની ઓળખ કરી છે. આ બ્લડ ગ્રુપની વિશેષતા એ છે કે તેમાં AnWj એન્ટિજન ગેરહાજર છે. જ્યારે, આ એન્ટિજેન 99.9 ટકા લોકોમાં હોય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ એન્ટિજેનની ઉણપ જીનમાં ચોક્કસ ફેરફારને કારણે હોઈ શકે છે.

જેનેટિક હોઈ શકે છે એન્ટીજનની ઉણપ

વૈજ્ઞાનિકો કહે છે કે કેટલાક લોકોમાં રોગને કારણે AnWj એન્ટિજેનની ઉણપ થઈ શકે છે. જો કે, તેની વારસાગત ગેરહાજરી ખૂબ જ દુર્લભ છે. વિશ્વભરમાં માત્ર અમુક જ વ્યક્તિઓને ઓળખ કરવામાં આવી છે જેમને જન્મની સાથે  AnWj એન્ટિજેન નથી. વૈજ્ઞાનિકોના મતે આ શોધને કારણે આ સ્થિતિ ધરાવતા લોકોને ઓળખવામાં સરળતા રહેશે. આ એન્ટિજેનની આનુવંશિક ઉણપ એટલી દુર્લભ છે કે આરબ-ઇઝરાયેલ વંશના આવા માત્ર એક પરિવારને અત્યાર સુધી ઓળખ થઈ શકી છે.

1972 માં થઈ હતી એન્ટિજેનની શોધ 

માહિતી અનુસાર, 1972માં વૈજ્ઞાનિકોને ગર્ભવતી મહિલાના બ્લડ સેમ્પલમાં AnWj એન્ટિજેન ગાયબ હોવાનું જણાયું હતું. ત્યારે વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે આ નવું બ્લડ ગ્રુપ હોઈ શકે છે. જો કે, તેનું આનુવંશિક મૂળ હજી જાણી શકાયું નથી. વૈજ્ઞાનિકો કહે છે કે 99.9 ટકા લોકોમાં AnWj એન્ટિજેન હોય છે અને તે લાલ રક્તકણો પર MAL પ્રોટીન બનાવે છે, પરંતુ AnWj એન્ટિજેન નેગેટિવ લોકોના RBCમાં આ પ્રોટીન હોતું નથી. અભ્યાસોએ દર્શાવ્યું છે કે AnWj એન્ટિજેન નેગેટિવ વ્યક્તિઓને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ હોઈ શકે છે, જેમ કે ઘણા પ્રકારના કેન્સર અથવા રક્ત સંબંધિત રોગો. 

શું એન્ટીબાયોટીક્સ દવાઓથી થઈ શકે છે HMPV ની સારવાર, આ વાયરસ સામે કેટલી અસરકારક છે દવા ? 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
Embed widget