શોધખોળ કરો
સ્વ. કેતન પટેલના પોસ્ટમોર્ટમની સીડી આપવા મુદ્દે કોર્ટે આપ્યો ક્યો મહત્વનો ચુકાદો?
1/3

સરકારે દહેશત વ્યક્ત કરી હતી કે, પીએમની સીડી આપવામાં આવે તો તે સોશિયલ મીડિયામાં ફરતી થઇ શકે છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતી બગડી શકે છે. આ અરજી શુક્રવારે મહેસાણા ચીફ જ્યુડિશિયલ જજ વાજપેયી સમક્ષ ચાલી હતી. કોર્ટે શનિવારે સરકાર તરફે કરાયેલી અરજી ગ્રાહ્ય રાખી ફરિયાદીની અરજી કાઢી નાખી હતી.
2/3

કસ્ટોડિયલ ડેથમાં ફરી કરાયેલા પોસ્ટ મોર્ટમની સીડી લેવા કેતનના પિતા મહેન્દ્રભાઇ પટેલે 10 જૂને મહેસાણા કોર્ટમાં અરજી કરી હતી. આ અરજી જ્યુડિશિયલ કોર્ટે મંજૂર રાખી હતી. જેના વિરોધમાં સરકાર તરફથી મહેસાણા ચીફ કોર્ટમાં અરજી આપીને આ સીડી આપવા સામે સ્ટે આપવાની માગ કરાઈ હતી.
Published at : 18 Jun 2017 09:52 AM (IST)
View More























