શોધખોળ કરો

બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 5નાં મોત, ઠાકોર પરિવાર માતાજીના દર્શને જતો હતો ને મોત ભેટી ગયું.....

ધોળકાથી બગોદરા હાઈવે પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોનાં કરૂણ મોત નિપજ્યાં છે.

ધોળકાઃ ધોળકાથી બગોદરા હાઈવે પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોનાં કરૂણ મોત નિપજ્યાં છે. આ ગમખ્વાર ઘટનામાં ઈકો કારનો અકસ્માત થતાં ત્રણ મહિલા અને બે પુરુષનાં ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતાં. પ્રાથમિક માહિતી પ્રમાણે, ઈકો ગાડીમાં સવાર ઠાકોર પરિવારના સભ્યો માતાજીના દર્શને જતા હતા. ઠાકોર પરિવારના સભ્યો વારસંગથી નીકળીને બરવાળા ખાતે માતાજીનાં દર્શન કરવા માટે જતા હતા ત્યારે અકસ્માત થયો હતો.

આ માહિતી પોલીસ પાસેથી પ્રાપ્ત થઈ છે. આ ઘટના બનતાં જ 108 એમ્બ્યુલન્સ સર્વિસને જાણ કરાઈ હતી. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સમાં ધોળકાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ધોળકા પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી.

પ્રાપ્ત વિગતો પ્રમાણે, ખેડા જિલ્લાના વારસંગના રહેવાસી ઠાકોર પરિવારના સભ્ય બરવાળા ખાતે માતાજીનાં દર્શને જતા હતા. આ દરમિયાન ધોળકા-બગોદરા હાઈવે પર સાંઈ દર્શન સોસાયટી નજીક વહેલી સવારે ઈકો ગાડી કોઈ અજાણ્યા વાહન સાથે ટકરાઈ હતી. આ ઘટનામાં ત્રણ મહિલા અને બે પુરુષ એમ પાંચ લોકોનાં મોત થયાં છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે, ઈકો ગાડીમાં ચાર બાળક, પાંચ પુરુષ અને છ મહિલા હતાં. આ પૈકી ત્રણ મહિલા અને બે પુરુષનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં.

ઘટનાની જાણ કરતાં 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અન્ય ઈજાગ્રસ્તોને ધોળકાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. પોલીસે અકસ્માત સર્જીને ફરાર વાહનની શોધ શરૂ કરી છે.

આ હાઈવે પર સતત અકસ્માતો થયા કરે છે. તાજેતરમાં બગોદરા હાઈવે પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણનાં મોત થયાં હતાં.  10 દિવસ પહેલાં જ બગોદરા-વટામણ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એકાએક ટ્રક પાછળ તૂફાન ગાડી ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણનાં મોત નીપજ્યાં હતાં અને 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તૂફાન કારમાં સવાર લોકો રાજકોટની અલગ-અલગ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો હતા. તેઓ રાજકોટથી વાપી કિકેટ રમવા માટે સ્પર્ધામાં ગયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'વિશાળ ફલક પર વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ
અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'વિશાળ ફલક પર વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ

વિડિઓઝ

Gujarat ATS : રથયાત્રા પૂર્વે ગુજરાત ATSએ 5 શંકાસ્પદોની કરી અટકાયત, પૂછપરછ શરૂ
Patan Crime : પાટણમાં વ્યાજખોરે મહિલાને જીવતી સળગાવી દીધી, મહિલાનું મોત
Ambalal Patel Controversy : આગાહી તો થશે જ, ત્રેવડ હોય તો રોકી લો
Crude Oil Price Hike : યુદ્ધને પગલે કાચા તેલની કિંમતમાં 10 ટકાનો વધારો
Iran-America War News: ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
ગુજરાત વેધર અપડેટ: આગામી 24 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ખાબકશે, અષાઢી બીજના દિવસે...
ગુજરાત વેધર અપડેટ: આગામી 24 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ખાબકશે, અષાઢી બીજના દિવસે...
મોરબી ખેડૂત આંદોલન પાર્ટ 3: વીજલાઈન વળતર મુદ્દે 365 ગામ પંચાયતના 25000 ખેડૂતો પદયાત્રામાં જોડાયા
મોરબી ખેડૂત આંદોલન પાર્ટ 3: વીજલાઈન વળતર મુદ્દે 365 ગામ પંચાયતના 25000 ખેડૂતો પદયાત્રામાં જોડાયા
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં વરસશે વરસાદ, હવામાનનું નાઉ કાસ્ટ
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં વરસશે વરસાદ, હવામાનનું નાઉ કાસ્ટ
CBSE: શું હવે ધોરણ 10 પાસ કરવા માટે ત્રીજી ભાષામાં પણ પાસ થવું જરુરી? જાણો CBSE નો નવો નિયમ
CBSE: શું હવે ધોરણ 10 પાસ કરવા માટે ત્રીજી ભાષામાં પણ પાસ થવું જરુરી? જાણો CBSE નો નવો નિયમ
Embed widget