શોધખોળ કરો

Ahmedabad: રાજ્યના 71 કેદીઓ પોતાના પરિવાર સાથે મનાવી શકશે દિવાળી, જાણો કરવામાં આવી જેલમુક્તિ

અમદાવાદ: આજે સમગ્ર દેશમાં દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. લાખો લોકો દિવાળીનો તહેવાર પોતાના પરિવાર સાથે ઉજવવા વતન પરત ફર્યા છે. દિવાળીનો તહેવાર પરિવાર સાથે ઉજવવાની મજા કઈંક અલગ જ હોય છે.

અમદાવાદ: આજે સમગ્ર દેશમાં દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. લાખો લોકો દિવાળીનો તહેવાર પોતાના પરિવાર સાથે ઉજવવા વતન પરત ફર્યા છે. દિવાળીનો તહેવાર પરિવાર સાથે ઉજવવાની મજા કઈંક અલગ જ હોય છે. જો કે, બધા લોકોને આ સૌભાગ્ય મળતું નથી. ખાસ કરીને જેલમાં રહેલા કેદીઓ માટે.

જોકે, આ વખતે ગુજરાતના કેટલાક કેદીઓ પોતાના પરિવાર સાથે દિવાળી મનાવી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે જેલના કેદીઓની જેલ મુકિત અંગેની નીતિમાં સુધારો કરીને સંવેદનશીલતા સાથે માનવતાભર્યો અભિગમ દાખવ્યો છે, જેના પરિણામ સ્વરૂપે ખૂબ ટૂંકા સમયગાળામાં ૭૧ જેલ કેદીઓની જેલ મુકિત દિવાળી પહેલા થતાં આ તમામ કેદીઓ પોતાના પરિવાર સાથે દિવાળીના તહેવારો માનવી શક્યા છે. આ નિર્ણયથી અનેક પરિવારોમાં ખુશીનો માહોલ છવાયો છે. 

દિવાળીના તહેવાર પહેલા જેલ મુક્ત કરાયેલા કેદીઓની વિગત આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, સાબરમતી મધ્યસ્થ જેલમાંથી ૪૦ કેદીઓ, વડોદરા જેલમાંથી ૧૨, રાજકોટ જેલમાંથી ૪, લાજપોર જેલમાંથી ૮, નડિયાદ જેલમાંથી ૧, જૂનાગઢ જેલમાંથી ૧, ભરૂચ જેલમાંથી ૧, નવસારી જેલમાંથી ૧, મોરબી સબ જેલમાંથી ૧, ગોધરા સબ જેલમાંથી ૨ કેદીઓ મુક્ત કરાયા છે. જેલવાસ દરમિયાન કેદીઓની સારી વર્તણૂક પણ આ નિર્ણય પાછળ મહત્વનું પરિબળ છે.

હાલમાં દિવાળીના તહેવારોની મોસમ ચાલી રહી છે. તે બાદ તુરંત જ ICC વર્લ્ડ કપની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનાર છે. સામાન્ય રીતે તહેવારના સમયે ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદીઓ વેકેશન માણવા બહાર જવાનું પસંદ કરે છે. અત્યારના સમયમાં વિમાન મુસાફરીને વધુ હિતાવહ સમજીને લોકો ફ્લાઇટ્સની ટિકિટ બુક કરતા હોય છે. જેથી એરપોર્ટ પર મુસાફરોની ભારે ભીડ જામે છે. આ કારણથી અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક એરપોર્ટ દ્વારા પેસેન્જર માટે એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.

મુસાફરોને સમયથી વહેલા આવવા કરવામાં આવી અપીલ
આ એડવાઇઝરીમાં જણાવવામાં આવ્યું છે કે, આગામી તહેવારોની સીઝન અને વર્લ્ડ કપની ફાઇનલ મેચ  હોવાથી અમદાવાદ એરપોર્ટ મુસાફરોની ભારે ભીડની અપેક્ષા રાખે છે. જેને કારણે આગામી સપ્તાહ દરમિયાન મુસાફરોની ભારે અવરજવરની શકયતા છે. આથી સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મુસાફરી કરતા તમામ મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે, એરપોર્ટની કેટલીક ઔપચારિકતા અને ફરજિયાત સુરક્ષા પ્રોટોકોલ પૂર્ણ કરવા માટે વધુ સમયની ફાળવણી કરે. જેને કારણે જો એરપોર્ટ પર વધુ ભીડ હોય તો પણ સમયસર ફ્લાઇટમાં પહોચી શકાય અને મુસાફરી સારી બની રહે.

મુસાફરોની સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા
વધુમાં અમદાવાદ એરપોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમારી ટીમો અમદાવાદમાં સુરક્ષિત એર હબ સુનિશ્ચિત કરતી વખતે અમારા મુસાફરોની સુરક્ષાને હંમેશા પ્રાથમિકતા આપવા માટે પ્રતિબદ્ધ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Embed widget