શોધખોળ કરો

બગદાણા નવનીત બાલધિયા કેસમાં નવા જૂનીના એંધાણ,  માયાભાઈના દિકરા જયરાજ આહિરને SITનું તેડું

 આ કેસમાં પીડિતના હુમલાના આરોપ વચ્ચે માયાભાઈ આહીરના દિકરા જયરાજ આહિરને SITએ પૂછપરછ માટે બોલાવ્યા છે.  

ભાવનગર: ભાવનગરના ખૂબ જ ચર્ચિત નવનીત બાલધિયા કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે.  આ કેસમાં પીડિતના હુમલાના આરોપ વચ્ચે માયાભાઈ આહીરના દિકરા જયરાજ આહિરને SITએ પૂછપરછ માટે બોલાવ્યા છે.    સમગ્ર કેસમાં જયરાજ આહિર પર હુમલાના આરોપ લાગતા SITએ તેમને આજે સાંજે પૂછપરછ માટે બોલાવ્યા છે. 

આ ચકચારી હુમલાનો ભોગ બનેલા નવનીત બાલધિયાએ પોતાના પર થયેલા હુમલામાં માયાભાઈ આહીરના દિકરા જયરાજ આહીરનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે. બગદાણાના નવનીત બાલધિયા નામના કોળી યુવક પર આઠ જેટલા શખ્સોએ 29 ડિસેમ્બર 2025ના રોજ હુમલો કર્યો હતો. 

હાઈપ્રોફાઈલ કેસની તપાસ SIT કરી રહી છે

આ હાઈપ્રોફાઈલ કેસની તપાસ હાલ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા ચલાવવામાં આવી રહી છે. સોમવારે બગદાણા પોલીસ સ્ટેશનના PI અને SIT ની ટીમ ફરિયાદી નવનીત બાલધિયાને લઈને ભાવનગર રેન્જ આઈજી (Range IG) કચેરી ખાતે પહોંચી હતી. અહીં SIT સમક્ષ નવનીત બાલધિયાનું વિશેષ નિવેદન નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 

શું છે સમગ્ર કેસ

આ સમગ્ર વિવાદના મૂળમાં એક ભજનનો કાર્યક્રમ અને ત્યાર બાદ વાયરલ થયેલો એક વીડિયો રહેલો છે. ગત 24 ડિસેમ્બરના રોજ મુંબઈના કાંદિવલીમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહીરનો ભજનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન માયાભાઈએ જાહેરાત કરતી વખતે યોગેશભાઈ સાગર માટે 'મેનેજિંગ ટ્રસ્ટી' શબ્દનો પ્રયોગ કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થતા બગદાણા આશ્રમના સેવક અને પૂર્વ સરપંચ નવનીતભાઈએ માયાભાઈને ફોન કરીને ટકોર કરી હતી કે, "બગદાણામાં હાલ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી, બધા માત્ર ટ્રસ્ટીઓ જ છે." સત્ય સમજાયા બાદ માયાભાઈએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને માફી માંગતો એક વીડિયો નવનીતભાઈને મોકલ્યો હતો જે પાછળથી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.

નવનીતભાઈના આક્ષેપ મુજબ, માયાભાઈનો આ ખુલાસા અને માફીવાળો વીડિયો વાયરલ થયા બાદ જ તેમની સામે કિન્નાખોરી રાખવામાં આવી હતી. વિવાદ વકરતા તેમને મળવાના બહાને ફોન કરવામાં આવ્યા હતા અને રાત્રિના સમયે જ્યારે તેઓ બહાર હતા ત્યારે તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. એક વર્ના કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ નવનીતભાઈનું ટ્રેક્ટર અટકાવી, ચાવી આંચકી લીધી હતી અને "તું રેકી કેમ કરે છે?" તેમ કહીને ધોકા અને પાઈપ વડે માર મારવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન બીજી સ્વિફ્ટ કારમાં અન્ય 4 શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમણે પણ નિર્દયતાથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં નવનીતભાઈને હાથ અને પગમાં ગંભીર ફ્રેક્ચર થયા હતા. જ્યારે હુમલાખોરોએ તેમના 2 મોબાઈલ ફોન અને બાઈકને પણ તોડી નાખ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget