![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ahmedabad : મણિનગરમાં રેલવે બ્રિજ પરથી પુરુષે પડતું મૂકીને કરી લીધો આપઘાત
પારિવારિક ઝગડાના કારણે પડતું મુક્યુ હોવાનું પોલીસનું અનુમાન છે. મણિનગર પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે, વૃદ્ધની આત્મહત્યાનું સાચું કારણ પોલીસ તપાસ પછી સામે આવી શકે છે.
![Ahmedabad : મણિનગરમાં રેલવે બ્રિજ પરથી પુરુષે પડતું મૂકીને કરી લીધો આપઘાત A old man suicide after jump from railway over bridge in Ahmedabad Ahmedabad : મણિનગરમાં રેલવે બ્રિજ પરથી પુરુષે પડતું મૂકીને કરી લીધો આપઘાત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/04/21103917/4-Four-Lovers-And-One-youth-Sucide-In-Gujarat-Man-Jump-From-Building1.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ શહેરના મણિનગરમાં વૃદ્ધે રેલવે બ્રિજ પરથી પડતું મુક્યું છે. બ્રિજ પરથી પડતું મૂકી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. પારિવારિક ઝગડાના કારણે પડતું મુક્યુ હોવાનું પોલીસનું અનુમાન છે. મણિનગર પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે, વૃદ્ધની આત્મહત્યાનું સાચું કારણ પોલીસ તપાસ પછી સામે આવી શકે છે.
Mehsana : દીકરી માટે છોકરો જોવા ગયેલા પરિવારને નડ્યો અકસ્માત, માતા સહિત બેનાં મોતથી અરેરાટી
મહેસાણાઃ વિસનગરમાં દીકરી માટે છોકરો જોવા ગયેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. માતા સહિત બેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. નંદાસણ પાસે સામેથી આવી રહેલી કાર સાથે અકસ્માત સર્જાયો હતો. એક કારનું ટાયર ફાટતા બીજી કાર સાથે અકસ્માત સર્જાયો હતો. બુડાસણ ગામના પરિવારને નંદાસણ પાસે અકસ્માત નડ્યો હતો. કારના ડ્રાઈવર સહિત બે લોકોના મોત થયા છે. બુડાસણનો પરિવાર દીકરી માટે સગપણ જોઈને પરત ફરી રહ્યો હતો ત્યારે બનાવ બન્યો હતો.
અન્ય એક અકસ્માતની વાત કરીએ તો પશ્ચિમ કચ્છના ધાણેટી પાસે અકસ્માતમાં બન્ને ચાલકના મોત નીપજ્યા છે. ટ્રક અને ડમ્પર ચાલકના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. આગ લાગવાના કારણે બન્ને ડ્રાઇવર સળગીને ભડથું થઈ ગયા. ગત મોડી રાત્રે ભુજ-ભચાઉ હાઇવે ઉપર અકસ્માત સર્જાયો હતો.
આ સિવાય, વડોદરામાં રાત્રે પૂરપાટ ઝડપે આવતા કારચાલકે સાયકલ સવારને અડફેટે લીધો હતો. અલકાપુરી વિન્ડસર પ્લાઝા પાસે અકસ્માત થયો હતો. કાર ચાલક ગજેન્દ્ર ગોસ્વામીએ સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતાં અકસ્માત થયો. અકસ્માત બાદ કાર ડીવાઈડર તોડી રોંગ સાઈડ પલટી મારી હતી. રેસ્ટોરન્ટમાં નોકરી પૂરી કરી ઘરે પરત ફરતાં દલપત બારીયા અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. કારચાલક નશો કરેલી હાલતમાં હોવાનો લોકોનો આક્ષેપ. ગોત્રી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)