શોધખોળ કરો

આ તારીખે ગુજરાત આવશે અરવિંદ કેજરીવાલ,ચૈતર વસાવા અને ખેડૂતોના મુદ્દાને લઈ કરશે મોટી જનસભા

ગાંધીનગર: આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 23 જુલાઈના રોજ ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે.

ગાંધીનગર: આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 23 જુલાઈના રોજ ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ જોડાશે. આ બંને નેતાઓ રાજ્યમાં બે મોટી જનસભાને સંબોધીને ખેડૂતો, પશુપાલકો અને આદિવાસી નેતાઓના મુદ્દા ઉઠાવશે. ગુજરાત AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આ અંગે માહિતી આપી હતી.

ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, 23 જુલાઈના રોજ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન મોડાસા ખાતે 'ખેડૂત પશુપાલક મહાપંચાયત'માં હાજરી આપશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતો અને પશુપાલકોને સમર્થન આપવાનો છે, અને ત્યાં તેઓ આ સમાજના હક અને ન્યાય માટે અવાજ ઉઠાવશે.

ત્યારબાદ, 24 જુલાઈના રોજ બંને મુખ્યમંત્રીઓ ડેડીયાપાડા ખાતે એક વિશાળ જનસભા સંબોધશે. આ સભાનો હેતુ તાજેતરમાં ધરપકડ કરવામાં આવેલા આદિવાસી નેતા ચૈતર વસાવાને સમર્થન આપવાનો છે. ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે, કેજરીવાલ અને માન ચૈતર વસાવા પર કરવામાં આવેલા ખોટા કેસો વિરુદ્ધ મોરચો માંડશે અને તેમની તરફેણમાં વિશાળ જનસભાને સંબોધશે.

આ બે દિવસીય પ્રવાસ દરમિયાન 'આપ' ખેડૂતો, પશુપાલકો અને આદિવાસી સમુદાયને પોતાની સાથે જોડવાનો પ્રયાસ કરશે. કેજરીવાલ અને ભગવંત માનનો આ પ્રવાસ ગુજરાતના રાજકીય વાતાવરણમાં ફરી ગરમાવો લાવે તેવી શક્યતા છે.

તો બીજી તરફ ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓ વચ્ચે આમ આદમી પાર્ટી (AAP)એ સંગઠનને વધુ મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પાર્ટી દ્વારા ડો. કરન બારોટની ગુજરાતના નવા મુખ્ય પ્રવક્તા તરીકે નિમણૂક કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાના માર્ગદર્શન હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પાર્ટીના આ નિર્ણયને આગામી સમયમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે જોવામાં આવી રહ્યો છે. ડો. બારોટની નિમણૂકથી પાર્ટી સંગઠનમાં યુવા નેતૃત્વને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકી રહી છે.

AAP દ્વારા નિયુક્તિનો આ દોર શરૂ થતાં ગુજરાતમાં યુવાઓને રાજકારણમાં વધુ સક્રિય થવાની તક મળી રહી છે. આ પગલાથી પાર્ટી પોતાની નીતિઓ અને કાર્યક્રમોને લોકો સુધી વધુ અસરકારક રીતે પહોંચાડી શકશે તેવી અપેક્ષા છે. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ વિસાવદર વિધાનસભા બેઠક પરથી ગોપાલ ઈટાલીયાની જીત થઈ છે. જે બાદ પાર્ટી કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
Embed widget