શોધખોળ કરો

Ahmedabad Corona Cases: રાજ્યના આ શહેરમાં 10 જ દિવસમાં 50 હજારથી વધુ કેસ નોંધાતા હાહાકાર

શનિવારે શહેરમાં કોરોનાના નવા ૪૯૮૦ કેસ નોંધાતા અત્યાર સુધીમાં કુલ ૧,૬૫,૬૯૫ કેસ નોંધાયા છે.શનિવારે ૨૧ લોકોના મોત થતા ગત માર્ચથી અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં કુલ ૨૮૬૮ લોકોના મરણ થવા પામ્યા છે.

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં એપ્રિલ મહિનામાં સતત વધતા જોવા મળેલા કોરોનાના કેસ બાદ મે મહિનાના પહેલા દિવસે દૈનિક કેસમાં ૪૧૧ કેસનો ઘટાડો થવા પામ્યો છે. શનિવારે ૨૪ કલાકમાં શહેરમાં નવા ૪૯૮૦ કેસ અને ૨૧ લોકોના મોત થયા હતા.આમ દૈનિક કેસ અને મૃત્યુઆંક બંનેની સંખ્યામાં  ઘટાડો નોંધાવા પામ્યો છે.સારવાર બાદ ડીસ્ચાર્જ લેનારાની સંખ્યા પણ વધીને ૩૧૮૨ ઉપર પહોંચી છે.એકિટવ કેસની સ્થિતિ હજુ ચિંતાજનક છે.હાલ શહેરમાં એકિટવ કેસની સંખ્યા ૬૪૧૯૯ ની સપાટીએ છે.

અમદાવાદમાં છેલ્લા 10 દિવસમાં નોંધાયેલા કેસ

 



તારીખ    



કેસ



મોત

1 મે

4980

21



30 એપ્રિલ



5391



23



29 એપ્રિલ



5258



25



28 એપ્રિલ



5672



26



27 એપ્રિલ



5669



26



26 એપ્રિલ



5619



26



25 એપ્રિલ



5790



27



24 એપ્રિલ



5617



25



23 એપ્રિલ



5411



21



22 એપ્રિલ



5142



23



કુલ



54549



243

 

શહેરમાં કુલ કેટલા નોંધાયા કેસ

શનિવારે અમદાવાદ શહેરમાં કોરોનાના નવા ૪૯૮૦ કેસ નોંધાતા અત્યાર સુધીમાં કુલ ૧,૬૫,૬૯૫ કેસ નોંધાયા છે.શનિવારે ૨૧ લોકોના મોત થતા ગત માર્ચથી અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં કુલ ૨૮૬૮ લોકોના મરણ થવા પામ્યા છે.શનિવારે શહેરમા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કુલ ૩૧૮૨ લોકોને રજા આપવામાં આવતા અત્યાર સુધીમાં કુલ ૯૬૮૫૧ લોકો કોરોના મુકત થયા છે.આમ આ વર્ષે માર્ચ મહિનાથી અમદાવાદ શહેરમાં કોરોનાની બીજી લહેર ઉપર ફરી એક વખત નિયંત્રણ લાવી શકાશે એવી સંભાવના જોવા મળી રહી છે.

રાજ્યમાં શું છે કોરોનાનું ચિત્ર

રાજ્યમાં ૨૪ એપ્રિલ બાદ પ્રથમવાર દૈનિક કેસનો આંક ૧૪ હજારથી નીચે ગયો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૫,૮૧,૬૨૪ છે જ્યારે કુલ મરણાંક ૭,૩૫૫ છે. હાલમાં ૧,૪૨,૧૩૯ એક્ટિવ કેસ છે જ્યારે ૬૩૭ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં અત્યારસુધીના સૌથી વધુ ૧૦,૫૮૨ દર્દીએ કોરોના હરાવ્યો છે. અત્યારસુધી કુલ ૪,૨૯,૧૩૦ દર્દીઓ કોરોનાથી સાજા થઇ ચૂક્યા છે. 

રાજ્યમાં 18 થી 44 વર્ષના કેટલા લોકોએ લીધી રસી

રાજ્યમાં શનિવારે 18 વર્ષથી 44 વર્ષ સુધીના વ્યક્તિના રસીકરણનો શુભારંભ થયો હતો  અને 55,235 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરાયું હતું. વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 98,11,863 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 24,92,496 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,23,04,359 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
IND vs SA: સાઉથ આફ્રિકા સામેની બાકીની બે ટી-20 મેચમાંથી બહાર અક્ષર પટેલ, આ ખેલાડીને મળ્યું સ્થાન
IND vs SA: સાઉથ આફ્રિકા સામેની બાકીની બે ટી-20 મેચમાંથી બહાર અક્ષર પટેલ, આ ખેલાડીને મળ્યું સ્થાન
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અનલિમિટેડ ભ્રષ્ટાચાર!
Hun To Bolish : હું તો બોલીશ : આ ગોગોને બંધ કરાવો !
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નાત નક્કી કરશે કે નિયતિ?
Operation Gogo In Surat : ગોગોનું ઓનલાઇન વેચાણ , રિયાલિટી ચેકમાં ધડાકો
Gold Price All Time High : સોનામાં તોફાની તેજી, 10 ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો 1.33 લાખ પર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
IND vs SA: સાઉથ આફ્રિકા સામેની બાકીની બે ટી-20 મેચમાંથી બહાર અક્ષર પટેલ, આ ખેલાડીને મળ્યું સ્થાન
IND vs SA: સાઉથ આફ્રિકા સામેની બાકીની બે ટી-20 મેચમાંથી બહાર અક્ષર પટેલ, આ ખેલાડીને મળ્યું સ્થાન
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
Embed widget